-
યુવાન ભાઈઓ, શું તમે જવાબદારી ઉઠાવવા ચાહો છો?૨૦૧૩ રાજ્ય સેવા | જુલાઈ
-
-
૪. ભરોસાપાત્ર અને વિશ્વાસુ હોવું કેમ મહત્ત્વનું છે?
૪ ભરોસાપાત્ર અને વિશ્વાસુ હોવું: પ્રથમ સદીમાં અમુક ભાઈઓને કામ સોંપવામાં આવ્યું કે તંગીમાં હોય એવા ખ્રિસ્તીઓને ખોરાક પહોંચાડે. આ ભાઈઓ “પ્રતિષ્ઠિત” અથવા સારી શાખ ધરાવનારા, ભરોસાપાત્ર અને વિશ્વાસુ હતા. તેથી, પ્રેરિતોએ ચિંતા કરવાની જરૂર ન હતી કે કામ થશે કે નહિ. પછી, પ્રેરિતો બીજી મહત્ત્વની બાબતો પર ધ્યાન આપી શક્યા. (પ્રે.કૃ. ૬:૧-૪) એટલે, મંડળમાં તમને કોઈ કામ સોંપવામાં આવે ત્યારે, એ પૂરું કરવા બનતી કોશિશ કરો. નુહને પગલે ચાલો. તેમણે વહાણ બનાવવા આપવામાં આવેલાં સૂચનો ધ્યાનથી પાળ્યાં હતાં. (ઉત. ૬:૨૨) યહોવાની નજરે વિશ્વાસુ વ્યક્તિ કીમતી છે અને એ ભક્તિમાં તમારી પ્રગતિ બતાવે છે.—૧ કોરીં. ૪:૨; “તાલીમથી મળતા લાભો” બૉક્સ જુઓ.
-
-
આપણો અહેવાલ૨૦૧૩ રાજ્ય સેવા | જુલાઈ
-
-
આપણો અહેવાલ
ફેબ્રુઆરી ૨૦૧૩
ફેબ્રુઆરી મહિનામાં ૪,૧૨૫ નિયમિત પાયોનિયરો હતા, જે અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યા છે. એ મહિનામાં ૪૬,૪૧૭ બાઇબલ અભ્યાસ ચલાવવામાં આવ્યા, એ પણ અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યા છે.
-