-
યર્મિયા ૪૨:૧૭, ૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ જે માણસોએ ઇજિપ્તમાં વસવાનો પાકો નિર્ણય લીધો છે, તેઓ ત્યાં તલવાર, દુકાળ અને ભયંકર રોગચાળાથી* માર્યા જશે. હું તેઓ પર જે આફત લાવીશ, એનાથી કોઈ છટકી શકશે નહિ કે બચી શકશે નહિ.”’
૧૮ “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: ‘જો તમે ઇજિપ્ત જશો, તો જેમ યરૂશાલેમના રહેવાસીઓ પર મેં મારો ગુસ્સો અને ક્રોધ રેડ્યો હતો,+ તેમ તમારા પર મારો ક્રોધ રેડી દઈશ. લોકો તમારા હાલ જોઈને ધ્રૂજી ઊઠશે, તેઓ તમને શ્રાપ આપશે, તમારું અપમાન કરશે અને તમારી નિંદા કરશે.+ તમે આ દેશ ફરી ક્યારેય જોઈ નહિ શકો.’
-