યર્મિયા
૪૫ યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમના શાસનના ચોથા વર્ષે+ યર્મિયા પ્રબોધકે નેરીયાના દીકરા બારૂખને+ એક પુસ્તકમાં ઈશ્વરનો સંદેશો લખાવ્યો. એ વખતે યર્મિયાએ બારૂખને કહ્યું:+
૨ “હે બારૂખ, ઇઝરાયેલના ઈશ્વર યહોવા તારા વિશે કહે છે, ૩ ‘તું કહે છે: “અફસોસ છે મને, કેમ કે યહોવાએ મારું દુઃખ વધાર્યું છે! નિસાસા નાખી નાખીને હું થાકી ગયો છું. મને જરાય ચેન પડતું નથી.”’*
૪ “તું બારૂખને કહેજે, ‘યહોવા કહે છે: “જો! મેં જે બાંધ્યું છે, એ હું તોડી નાખું છું. મેં જે રોપ્યું છે, એ હું ઉખેડી નાખું છું. હું આખા દેશમાં એવું કરીશ.+ ૫ તું મોટી મોટી વસ્તુઓ મેળવવાની ઇચ્છા રાખે છે,* પણ એવી ઇચ્છા ન રાખ.”’
“‘હું બધા લોકો પર આફત લાવું છું.+ પણ તું જ્યાં જઈશ ત્યાં હું તારો જીવ બચાવીશ,’*+ એવું યહોવા કહે છે.”