વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp20 નં. ૩ પાન ૧૩
  • લોકોને મદદ કરવાથી તમને બરકત મળશે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • લોકોને મદદ કરવાથી તમને બરકત મળશે
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • ખુદાની કિતાબ શું જણાવે છે?
  • આપણે કેવી રીતે બીજાઓને મદદ કરી શકીએ?
  • શું તમે યહોવાહની સહાય લો છો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • લોકોમાં સંપ લાવવા શું કરી શકાય?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • યહોવાહની નજરે ‘ધનવાન’ બનો!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • ભલા સમરૂનીની વાર્તા
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
wp20 નં. ૩ પાન ૧૩
એક માણસ બીજા માણસને નકશાનો ઉપયોગ કરીને રસ્તો બતાવે છે.

શું તમે કોઈને મદદ કરી શકો, ભલે પછી એ કોઈ પણ ઉંમર, દેશ કે મઝહબનો હોય?

લોકોને મદદ કરવાથી તમને બરકત મળશે

દુનિયામાં ઘણા એવા લોકો છે જેઓને એક ટંક ખાવા નથી મળતું. અમુકને રહેવા માટે ઘર પણ નથી. અમુક લોકોને તો આશાની કોઈ જ ઉમીદ નથી. જો આપણે એવા લોકોને મદદ કરીશું તો ખુદા આપણને બરકત આપશે.

ખુદાની કિતાબ શું જણાવે છે?

‘ગરીબ પર રહેમ કરનાર યહોવા ખુદાને ઉછીનું આપે છે, યહોવા ખુદા તેના સારાં કામોનો બદલો આપશે.’ —નીતિવચનો ૧૯:૧૭.

આપણે કેવી રીતે બીજાઓને મદદ કરી શકીએ?

ઈસુએ એક ઇન્સાનની કહાની કહી. એ ઇન્સાનને લૂંટારાઓએ લૂંટી લીધો હતો. તેને મારીને બેહાલ છોડી દીધો હતો. (લુક ૧૦:૨૯-૩૭) એક મુસાફર ત્યાંથી પસાર થતો હતો. તેની નજર એ ઘાયલ ઇન્સાન પર પડી. તે તેની પાસે ગયો અને મલમપટ્ટી કરી. નવાઈની વાત તો એ કે મુસાફર બીજી કોમનો હતો.

તે એટલું કરીને જતો ન રહ્યો. તેણે ઘાયલ ઇન્સાનના ઇલાજ માટે પૈસા પણ આપ્યા. તેની દેખભાળ માટે ઈન્તેજામ કર્યો અને તેને તસલ્લી આપી.

એ કહાનીમાંથી આપણે શું શીખી શકીએ? એ જ કે બીજાઓને મદદ કરવા બનતું બધું કરીએ. (નીતિવચનો ૧૪:૩૧) ખુદાએ પોતાની કિતાબમાં જણાવ્યું છે કે તે બહુ જલદી ગરીબી અને મુસીબતો દૂર કરી દેશે. પણ એવું તે ક્યારે અને કેવી રીતે કરશે? હવે પછીના લેખમાં જોઈશું કે રબ કઈ રીતે સુખ-ચેનની જિંદગી આપશે.

‘ખુદાએ કદી મારો સાથ ન છોડ્યો!’

ગામ્બિયાનો એક પરદેશી જણાવે છે:

‘હું ગામ્બિયા છોડીને યુરોપ આવ્યો ત્યારે મારી પાસે કંઈ ન હતું, ન કામ, ન પૈસા કે ન રહેવાની જગ્યા. ખુદાની કિતાબમાંથી મને શીખવા મળ્યું કે જેટલું હોય એટલામાં સંતોષ માનો, મહેનત કરો અને બીજાઓ આગળ હાથ ફેલાવવાના બદલે તેઓને મદદ કરો. ખુદાએ કદી મારો સાથ ન છોડ્યો. તેમણે કાયમ મને મદદ કરી.’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો