વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • jy પ્રકરણ ૮૯ પાન ૨૧૦-પાન ૨૧૧ ફકરો ૨
  • યહુદિયા જતા માર્ગે આવેલા પેરીઆમાં શીખવે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહુદિયા જતા માર્ગે આવેલા પેરીઆમાં શીખવે છે
  • ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • સરખી માહિતી
  • ‘તેમનો સમય હજુ આવ્યો ન હતો’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • ઈસુએ લાજરસને જીવતા કર્યા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • ગુજરી ગયેલાઓ માટે આશા—તેઓને પાછા જીવતા કરવામાં આવશે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
વધુ જુઓ
ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
jy પ્રકરણ ૮૯ પાન ૨૧૦-પાન ૨૧૧ ફકરો ૨
સંદેશવાહક ઈસુને જણાવે છે કે લાજરસ બીમાર છે

પ્રકરણ ૮૯

યહુદિયા જતા માર્ગે આવેલા પેરીઆમાં શીખવે છે

લુક ૧૭:૧-૧૦ યોહાન ૧૧:૧-૧૬

  • કોઈને ઠોકરરૂપ ન બનો

  • માફ કરો અને શ્રદ્ધા બતાવો

ઈસુ થોડા સમય માટે “યરદન પાર” આવેલા પેરીઆ નામે વિસ્તારમાં હતા. (યોહાન ૧૦:૪૦) પછી, તે યરૂશાલેમ જવા દક્ષિણ તરફ મુસાફરીએ નીકળ્યા.

ઈસુ એકલા ન હતા. તેમની સાથે શિષ્યો અને ‘લોકોનું ટોળું’ હતું. એ ટોળામાં કર ઉઘરાવનારાઓ અને પાપીઓ પણ હતા. (લુક ૧૪:૨૫; ૧૫:૧) ઈસુનાં શિક્ષણની અને કાર્યોની ટીકા કરનારા ફરોશીઓ અને શાસ્ત્રીઓ પણ ત્યાં હતા. ઈસુએ ખોવાયેલા ઘેટા, ખોવાયેલા દીકરા તથા અમીર માણસ અને લાજરસનાં ઉદાહરણો તેઓને આપ્યાં હતાં. ફરોશીઓ અને શાસ્ત્રીઓએ એના પર વિચાર કરીને જીવનમાં ફેરફાર કરવાની જરૂર હતી.—લુક ૧૫:૨; ૧૬:૧૪.

થોડા સમય પહેલાં જ વિરોધીઓએ ઈસુની ટીકા અને નિંદા કરી હતી. એટલે, ઈસુએ હવે પોતાનું ધ્યાન શિષ્યો તરફ ફેરવ્યું. ગાલીલમાં શીખવેલા અમુક મુદ્દાઓની તેમણે ફરીથી યાદ અપાવી.

દાખલા તરીકે, ઈસુએ કહ્યું: “લોકો ઠોકર તો ખાશે, એ ટાળી શકાય એમ નથી. છતાં પણ, જેના દ્વારા એ થાય છે તેને અફસોસ! . . . પોતાના પર ધ્યાન આપો. જો તારો ભાઈ તારી વિરુદ્ધ પાપ કરે, તો તેને ઠપકો આપ અને જો તે પસ્તાવો કરે, તો તેને માફી આપ. અરે, જો દિવસમાં તે સાત વાર તારી વિરુદ્ધ પાપ કરે અને સાત વાર તારી પાસે પાછો આવીને કહે, ‘હું પસ્તાવો કરું છું,’ તો તારે તેને માફ કરવો.” (લુક ૧૭:૧-૪) આ સાંભળીને પીતરને યાદ આવ્યું હશે કે તેમણે પણ ઈસુને અગાઉ સાત વાર માફ કરવા વિશે સવાલ પૂછ્યો હતો.—માથ્થી ૧૮:૨૧.

શું શિષ્યો ઈસુના કહ્યા પ્રમાણે કરી શકશે? જ્યારે શિષ્યોએ ઈસુને કહ્યું કે, “અમારી શ્રદ્ધા વધારો,” ત્યારે તેમણે ખાતરી આપતા કહ્યું: “જો તમારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે શેતૂરના ઝાડને કહો, ‘ઉખેડાઈ જા અને દરિયામાં રોપાઈ જા!’ તો એ તમારું માનશે.” (લુક ૧૭:૫, ૬) સાચે જ, થોડી શ્રદ્ધાથી મોટાં મોટાં કામ પણ પાર પડી શકે છે.

વ્યક્તિએ નમ્ર અને યોગ્ય વલણ રાખવું જરૂરી છે, એ શીખવવા ઈસુએ પ્રેરિતોને કહ્યું: “તમારામાંથી એવો કોણ છે, જેનો ચાકર ખેડતો હોય કે ઘેટાં-બકરાં સાચવતો હોય અને તે ખેતરમાંથી પાછો આવે ત્યારે કહેશે, ‘જલદી અહીંયા આવ અને મેજ પર જમવા બેસ’? એના બદલે, તે ચાકરને કહેશે, ‘કપડાં બદલ, મારા માટે સાંજના ભોજનની તૈયારી કર અને હું ખાઈ-પી ન લઉં ત્યાં સુધી મારી સેવા કર અને પછી તું ખાજે-પીજે.’ પોતાને સોંપાયેલું કામ ચાકરે કર્યું હોવાથી, શું માલિક તેનો આભાર માનશે? ના. એવી જ રીતે, તમને સોંપાયેલું બધું કામ પૂરું કરો ત્યારે કહો: ‘અમે નકામા ચાકરો છીએ. અમારે જે કરવું જોઈએ, એ જ અમે કર્યું છે.’”—લુક ૧૭:૭-૧૦.

ઈશ્વરના દરેક સેવકે સમજવું જોઈએ કે ઈશ્વરભક્તિને જીવનમાં પ્રથમ રાખવી મહત્ત્વની છે. વધુમાં, આપણે કદી ભૂલવું ન જોઈએ કે ઈશ્વરના કુટુંબના સભ્ય તરીકે તેમની ભક્તિ કરવાનો આપણને લહાવો મળ્યો છે.

લગભગ એ જ સમયે એક સંદેશવાહક આવ્યો, જેને મરિયમ અને માર્થાએ મોકલ્યો હતો. તેઓ લાજરસની બહેનો હતી અને યહુદિયાના બેથનિયા ગામમાં રહેતી હતી. સંદેશવાહકે કહ્યું: “પ્રભુ, જુઓ! તમારો પ્રિય મિત્ર બીમાર છે.”—યોહાન ૧૧:૧-૩.

પોતાનો મિત્ર લાજરસ ખૂબ બીમાર છે, એ સાંભળીને ઈસુ દુઃખી થયા નહિ. પરંતુ, તેમણે કહ્યું: “આ બીમારીનો અંત મરણ નથી, પણ એ તો ઈશ્વરના મહિમા માટે છે, જેથી માણસનો દીકરો એના દ્વારા ગૌરવવાન થાય.” એ જગ્યાએ બે દિવસ રહ્યા પછી તેમણે શિષ્યોને કહ્યું: “ચાલો, આપણે ફરીથી યહુદિયા જઈએ.” શિષ્યોએ વિરોધ કર્યો: “ગુરુજી, હજુ થોડા સમય પહેલાં તો યહુદિયાના લોકો તમને પથ્થરે મારવા માંગતા હતા અને તમે પાછા ત્યાં જવા ચાહો છો?”—યોહાન ૧૧:૪, ૭, ૮.

ઈસુએ જવાબ આપ્યો: “દિવસમાં ૧૨ કલાક પ્રકાશ નથી હોતો શું? જો કોઈ માણસ દિવસે પ્રકાશમાં ચાલે, તો તે કોઈ વસ્તુથી ઠોકર ખાતો નથી, કારણ કે તે દુનિયાના પ્રકાશને લીધે જોઈ શકે છે. પરંતુ, જો કોઈ માણસ રાતે ચાલે, તો તે ઠોકર ખાય છે, કારણ કે તેની પાસે પ્રકાશ નથી.” (યોહાન ૧૧:૯, ૧૦) ઈસુ કહેવા માંગતા હતા કે તેમના સેવાકાર્ય માટે ઈશ્વરે જે સમય ઠરાવ્યો હતો, એ હજુ પૂરો થયો નથી. બાકી રહેલો સમય પૂરો થાય ત્યાં સુધી, ઈસુએ એનો સૌથી સારો ઉપયોગ કરવાનો હતો.

ઈસુએ પછી કહ્યું: “લાજરસ આપણો મિત્ર ઊંઘી ગયો છે, પણ તેને ઉઠાડવા હું ત્યાં જાઉં છું.” લાજરસ ખાલી આરામ કરતો હશે અને તે સાજો થઈ જશે એમ વિચારીને શિષ્યોએ કહ્યું: “પ્રભુ, જો તે ઊંઘતો હોય તો સાજો થઈ જશે.” એટલે, ઈસુએ તેઓને સ્પષ્ટ જણાવ્યું: “લાજરસ મરણ પામ્યો છે. . . . ચાલો, આપણે હવે તેની પાસે જઈએ.”—યોહાન ૧૧:૧૧-૧૫.

થોમા જાણતા હતા કે યહુદિયામાં ઈસુનું જીવન જોખમમાં હતું. તોપણ, ઈસુને ટેકો આપવા તેમણે સાથી શિષ્યોને અરજ કરી: “ચાલો, આપણે પણ જઈએ, ભલે પછી તેમની સાથે મરવું પડે.”—યોહાન ૧૧:૧૬.

  • ઈસુ ક્યાં પ્રચાર કરી રહ્યા હતા?

  • ઈસુએ ફરીથી શું યાદ અપાવ્યું અને નમ્રતા વિશે શીખવવા કયું ઉદાહરણ આપ્યું?

  • ઈસુને કયા સમાચાર મળ્યા અને થોમાએ શા માટે ઈસુ સાથે મરવા વિશે જણાવ્યું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો