વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lfb પાઠ ૫૫ પાન ૧૩૨
  • યહોવાના દૂતે હિઝકિયાનું રક્ષણ કર્યું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાના દૂતે હિઝકિયાનું રક્ષણ કર્યું
  • ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • સરખી માહિતી
  • એક રાજાના વિશ્વાસની જીત
    યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
  • સાત પાળકો તથા આઠ સરદારોનો આજે આપણા માટે શું અર્થ થાય?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • આ જગતમાંથી કોઈ મદદ નહિ મળે
    યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
  • શ્રદ્ધા રાખવાથી હિઝકિયાને ઇનામ મળ્યું
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
વધુ જુઓ
ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
lfb પાઠ ૫૫ પાન ૧૩૨
એક દૂત આશ્શૂરીઓની છાવણી પર હુમલો કરે છે

પાઠ ૫૫

યહોવાના દૂતે હિઝકિયાનું રક્ષણ કર્યું

આશ્શૂરના સામ્રાજ્યએ ઇઝરાયેલના દસ કુળના રાજ્ય પર કબજો મેળવી લીધો હતો. હવે આશ્શૂરનો રાજા સાન્હેરીબ બે કુળના યહૂદાના રાજ્ય પર કબજો મેળવવા ચાહતો હતો. તે એક પછી એક યહૂદાના શહેરો પર જીત મેળવવા લાગ્યો. તેની ખાસ ઇચ્છા હતી કે તે યરૂશાલેમ શહેર જીતે. પણ તે જાણતો ન હતો કે એ શહેરનું રક્ષણ યહોવા કરી રહ્યા છે.

યહૂદાના રાજા હિઝકિયાએ સાન્હેરીબને સોના-ચાંદી મોકલ્યા, જેથી તે યરૂશાલેમ પર હુમલો ના કરે. સાન્હેરીબે એ બધું લઈ લીધું. તોપણ યરૂશાલેમ પર હુમલો કરવા પોતાની શક્તિશાળી સેના મોકલી. આશ્શૂરના સૈનિકો ધીરે ધીરે નજીક આવી રહ્યા હતા, એટલે શહેરના લોકો ખૂબ ડરી ગયા હતા. હિઝકિયાએ લોકોને કહ્યું: ‘તમે ડરશો નહિ! ભલે આશ્શૂરીઓ શક્તિશાળી હોય, યહોવા આપણને તેઓથી પણ વધારે શક્તિશાળી બનાવશે.’

સાન્હેરીબે પોતાનો સંદેશો આપવા રાબશાકેહ નામના એક માણસને યરૂશાલેમ મોકલ્યો. તે ત્યાં જઈને લોકોની મજાક ઉડાવવા લાગ્યો. રાબશાકેહ શહેરની બહાર ઊભો રહ્યો અને બૂમો પાડીને કહેવા લાગ્યો: ‘યહોવા તમને મદદ નહિ કરી શકે. તમે હિઝકિયાની વાત માનશો નહિ. એવો કોઈ ઈશ્વર નથી જે તમને અમારા હાથમાંથી બચાવે.’

હિઝકિયાએ યહોવાને પૂછ્યું કે હવે તેમણે શું કરવું જોઈએ. યહોવાએ કહ્યું: ‘રાબશાકેહની વાતોથી ડરીશ નહિ. સાન્હેરીબ યરૂશાલેમને જીતી નહિ શકે.’ એ પછી સાન્હેરીબે હિઝકિયાને અમુક પત્રો મોકલ્યા. પત્રોમાં લખ્યું હતું: ‘તમે લોકો હાર માની લો. યહોવા તમને નહિ બચાવી શકે.’ હિઝકિયાએ પ્રાર્થના કરી: ‘હે યહોવા, અમારા પર દયા કરો. અમને બચાવી લો, જેથી બધા લોકો જાણે કે તમે જ સાચા ઈશ્વર છો.’ યહોવાએ તેમને કહ્યું: ‘આશ્શૂરનો રાજા યરૂશાલેમમાં નહિ આવી શકે. હું મારા શહેરનું રક્ષણ કરીશ.’

સાન્હેરીબને પૂરી ખાતરી હતી કે તે બહુ જલદી યરૂશાલેમને જીતી લેશે. આશ્શૂરના સૈનિકોએ યરૂશાલેમની બહાર છાવણી નાખી હતી. એક રાતે યહોવાએ એક દૂતને ત્યાં મોકલ્યો. એ દૂતે ૧,૮૫,૦૦૦ સૈનિકોને મારી નાખ્યા. સાન્હેરીબ રાજાના સૌથી શક્તિશાળી સૈનિકો માર્યા ગયા. હવે તેની પાસે કોઈ રસ્તો ન હતો. તે હાર માનીને પોતાના ઘરે પાછો જતો રહ્યો. યહોવાએ વચન આપ્યું હતું એ પ્રમાણે, તેમણે હિઝકિયા અને યરૂશાલેમનું રક્ષણ કર્યું. જો તમે યરૂશાલેમમાં હોત, તો શું તમે યહોવા પર ભરોસો રાખ્યો હોત?

“યહોવાનો ડર રાખતા લોકોની આસપાસ તેમનો દૂત છાવણી નાખે છે અને તે તેઓને બચાવે છે.”—ગીતશાસ્ત્ર ૩૪:૭

સવાલ: યહોવાએ કઈ રીતે યરૂશાલેમનું રક્ષણ કર્યું? શું યહોવા તમારું પણ રક્ષણ કરશે?

૨ રાજાઓ ૧૭:૧-૬; ૧૮:૧૩-૩૭; ૧૯:૧-૩૭; ૨ કાળવૃત્તાંત ૩૨:૧-૨૩

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો