વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w09 ૫/૧ પાન ૪-૫
  • નવો જન્મ કેટલો મહત્ત્વનો છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવો જન્મ કેટલો મહત્ત્વનો છે?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • સરખી માહિતી
  • શું તારણ મેળવવા નવો જન્મ પામવો જોઈએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • નવો જન્મ પામવો શું વ્યક્તિના હાથમાં છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • ઈસુ નિકોદેમસને રાત્રે શીખવે છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • નવો જન્મ પામવાનો મકસદ શું છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
w09 ૫/૧ પાન ૪-૫

નવો જન્મ કેટલો મહત્ત્વનો છે?

યોહાન ૩:૧-૧૨માં ઈસુએ, નિકોદમસને કહ્યું કે નવો જન્મ પામવો જરૂરી છે. ચાલો જોઈએ કે ઈસુએ તેમને કેવી રીતે સમજાવ્યું.

ઈસુએ કહ્યું: “જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય, તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી.” (યોહાન ૩:૩) અહીંયા ‘પામ્યું ન હોય’ અને ‘જઈ શકતું નથી’ બતાવે છે કે દેવના રાજ્યમાં જવા નવો જન્મ પામવો ખૂબ જરૂરી છે. એ વધારે સમજવા, માની લો કે કોઈ વ્યક્તિ કહે કે ‘સૂર્ય ન હોય ત્યાં સુધી અજવાળું થઈ શકતું નથી.’ અહીંયા તે કહેવા માંગે છે કે અજવાળું થવા માટે સૂર્ય ખૂબ જ જરૂરી છે. એ જ રીતે ઈસુ પણ કહેવા માંગતા હતા કે દેવના રાજ્યમાં જવા નવો જન્મ પામવો ખૂબ જરૂરી છે.

પછી યોહાન ૩:૭માં ઈસુએ કહ્યું: “તમારે નવો જન્મ પામવો જોઈએ.” અહીં ઈસુ સાફ બતાવે છે કે ‘દેવના રાજ્યમાં જવા’ નવો જન્મ પામવો ખૂબ મહત્ત્વનું છે.—યોહાન ૩:૫.

આ બે કલમમાં ઈસુએ ચોખવટ કરી કે નવો જન્મ પામ્યા વગર દેવના રાજ્યમાં જઈ શકાતું નથી. તેથી આ વિષેની પૂરેપૂરી સમજણ લેવી દરેક ખ્રિસ્તીની જવાબદારી છે. એ સમજવા ચાલો જોઈએ કે નવો જન્મ પામવો શું વ્યક્તિના હાથમાં છે? (w09 4/1)

[પાન ૫ પર બ્લર્બ]

‘સૂર્ય ન હોય ત્યાં સુધી અજવાળું થઈ શકતું નથી’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો