વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w11 ૧૧/૧ પાન ૧૯
  • શું તમે જાણો છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે જાણો છો?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • સરખી માહિતી
  • દેવના મંદિરમાં લીલાં જેતુન વૃક્ષ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • ઈસુએ વેપારીઓને મંદિરમાંથી કાઢી મૂક્યા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
w11 ૧૧/૧ પાન ૧૯

શું તમે જાણો છો?

શા માટે યરૂશાલેમના મંદિરમાં નાણાવટીઓ બેસતા હતા?

▪ ઈસુએ પોતાના મરણના થોડા સમય પહેલાં મંદિરમાં થતાં ઘોર અન્યાય સામે પગલાં ભર્યા હતા. એ વિષે બાઇબલ જણાવે છે: ‘ઈસુએ મંદિરમાં જેઓ વેચતા તથા ખરીદતા હતા, તે સર્વને કાઢી મૂક્યા; અને નાણાવટીઓના બાજટ, તથા કબૂતર વેચનારાઓનાં આસનો તેમણે ઊંધાં વાળ્યાં; અને ઈસુએ તેઓને કહ્યું, કે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે, એમ લખેલું છે; પણ તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે.’—માત્થી ૨૧:૧૨, ૧૩.

પહેલી સદીના યહુદીઓ અને યહુદી ધર્મ અપનાવતા લોકો અલગ અલગ દેશો અને શહેરોમાંથી યરૂશાલેમના મંદિરમાં આવતા હતા. તેઓ જ્યાં રહેતાં હોય એનું નાણું પોતાની સાથે લાવતા. યરૂશાલેમના મંદિરમાં બીજું કોઈ નાણું ચાલતું ન હોવાથી તેઓએ પોતાનું નાણું બદલવું પડતું. એમ કરવાથી જ તેઓ મંદિરનો વાર્ષિક કર ભરી શકતા, બલિદાન માટે પ્રાણીઓ ખરીદી શકતા, તેમ જ બીજા દાનો કરી શકતા. જોકે નાણાવટીઓ નાણું બદલી આપતા પણ એ માટે ઊંચી રકમ લેતા. યહુદી તહેવારો શરૂ થવાના હોય ત્યારે આ નાણાવટીઓ મંદિરના વિદેશીઓ માટેના આંગણામાં પોતાના મેજ ગોઠવી દેતા.

ઈસુએ નાણાવટીઓની ઝાટકણી કાઢી, કેમ કે તેઓએ મંદિરને “લૂંટારાઓનું કોતર” બનાવી દીધું હતું. તેઓ નાણું બદલી આપવા લોકો પાસે ઘણી મોટી રકમ પડાવી લેતા હતા. (w11-E 10/01)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો