વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w15 ૪/૧ પાન ૩
  • સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારનો સડો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારનો સડો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • સરખી માહિતી
  • ઈશ્વરની સરકારમાં ભ્રષ્ટાચાર નહિ હોય
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • ભ્રષ્ટાચાર કેટલી હદે ફેલાયેલો છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • પરમેશ્વરના શિક્ષણથી ભ્રષ્ટાચારનો સામનો કરવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • ચારેબાજુ ભ્રષ્ટાચાર—શા માટે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
w15 ૪/૧ પાન ૩
એક ભ્રષ્ટ પોલીસ અધિકારી પૈસાની લાંચ લઈ રહ્યા છે

મુખ્ય વિષય | ભ્રષ્ટાચારથી મુક્ત એક સરકાર

સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારનો સડો

સરકાર તરફથી મળેલી સત્તાનો પોતાના લાભ માટે દુરુપયોગ કરવો એટલે સરકારી ભ્રષ્ટાચાર. આવો ભ્રષ્ટાચાર સદીઓથી જોવા મળે છે. જેમ કે, બાઇબલમાં નિયમ હતો કે ન્યાયને લગતા કિસ્સાઓમાં પણ કોઈએ લાંચ ન લેવી. એ બતાવે છે કે ૩,૫૦૦ વર્ષ પહેલાં પણ ભ્રષ્ટાચાર હતો. (નિર્ગમન ૨૩:૮) જોકે, ભ્રષ્ટાચારમાં લાંચ લેવા ઉપરાંત બીજી બાબતોનો પણ સમાવેશ થાય છે. ભ્રષ્ટ સરકારી કર્મચારીઓ અમુક વાર સરકારી વસ્તુઓની ચોરી કરે છે. તેમ જ, એવી સરકારી સેવાનો ફાયદો ઉઠાવે છે જેના તેઓ હકદાર નથી. અથવા સરકારી પૈસાની ચોરી કરે છે. તેઓ પોતાનાં મિત્રો અને સગાં-વહાલાઓ માટે પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે.

ભ્રષ્ટાચાર કોઈ પણ સંસ્થામાં હોય શકે છે. પણ, સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર પુષ્કળ જોવા મળે છે. ટ્રાન્સ્પેરન્સી ઇન્ટરનેશનલ સંસ્થાનું ૨૦૧૩નું મૅગેઝિન ગ્લોબલ કરપ્શન બેરોમીટર આમ અહેવાલ આપે છે: ‘દુનિયાભરના લોકોનું માનવું છે કે રાજકીય પક્ષો, પોલીસ વિભાગ, સરકારી કર્મચારીઓ, ધારાસભા અને ન્યાયસભા એવાં પાંચ ક્ષેત્રો છે જે સૌથી ભ્રષ્ટ છે.’ એ વિશેના અમુક અહેવાલો પર નજર નાખીએ.

  • આફ્રિકા: ૨૦૧૩માં દક્ષિણ આફ્રિકામાં ૨૨,૦૦૦ જેટલા સરકારી કર્મચારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

  • દક્ષિણ અમેરિકા: ૨૦૧૨માં બ્રાઝિલમાં ૨૫ લોકોને સજા કરવામાં આવી હતી. કારણ કે, તેઓએ રાજકીય ટેકો મેળવવા સરકારી પૈસાનો ઉપયોગ કર્યો હતો. એમાં અગાઉના વડાપ્રધાનના સ્ટાફના ઉપરીનો પણ સમાવેશ થતો હતો. તે દેશનો બીજા નંબરનો શક્તિશાળી વ્યક્તિ હતો.

  • એશિયા: ૧૯૯૫માં દક્ષિણ કોરિયાના સેઉલ શહેરમાં એક મોટી દુકાન પડી ભાંગી. એમાં ૫૦૨ લોકો મરણ પામ્યા. એની તપાસ કરવાથી જાણવા મળ્યું કે, એના કોન્ટ્રાક્ટરોએ હલકી કક્ષાનો માલ-સામાન વાપર્યો હતો અને સલામતીને લગતા નિયમો તોડ્યા હતા. એ માટે તેઓએ એ શહેરના અધિકારીઓને લાંચ આપી હતી.

  • યુરોપ: યુરોપિયન કમિશન હોમ અફૅર્સના કમિશનર સેસીલ્યા માલ્મસ્ટ્રોમ પ્રમાણે ‘યુરોપમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ જોઈને નવાઈ લાગે. પણ, ભ્રષ્ટાચારને જડમૂળથી કાઢી નાખવા રાજકીય પક્ષોએ કોઈ પગલાં ભર્યા નથી.’

સરકારી ભ્રષ્ટાચારના મૂળ ખૂબ ઊંડે સુધી ઊતરેલા છે. પ્રોફેસર સુઝન રોઝએકરમેન ભ્રષ્ટાચાર દૂર કરવા વિશે આમ જણાવે છે: “સરકારી સંસ્થાઓની કામ કરવાની રીતમાં જડમૂળથી ફેરફારો કરવા પડશે.” જોકે, આમ થવું અશક્ય લાગે. પરંતુ, બાઇબલ ખાતરી આપે છે કે, આનાથી પણ મોટા ફેરફારો ચોક્કસ થશે. (w૧૫-E ૦૧/૦૧)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો