વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w15 ૧૦/૧ પાન ૩
  • ચારેબાજુ ચિંતા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ચારેબાજુ ચિંતા
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • સરખી માહિતી
  • જીવનના જોખમની ચિંતા
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • તમારી સર્વ ચિંતાઓ યહોવા પર નાખી દો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • કુટુંબની ચિંતા
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • ચિંતા
    સજાગ બનો!—૨૦૧૬
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
w15 ૧૦/૧ પાન ૩

મુખ્ય વિષય | ચિંતાનો સામનો કઈ રીતે કરવો?

ચારેબાજુ ચિંતા

“હું દુકાનમાં ખોરાક ખરીદવા ગયો, પરંતુ મને ફક્ત બિસ્કિટ મળ્યા. અને એની કિંમત ૧૦,૦૦૦ ગણી વધારે હતી. બીજા દિવસે તો, એ દુકાનોમાં ખાવા માટે કશું જ ન હતું.”—પૉલ, ઝિમ્બાબ્વે.

“એક દિવસે મારા પતિએ કહ્યું કે, હું તને છોડીને જાઉં છું. મને થયું કે, હું એ વિશ્વાસઘાતને કઈ રીતે સહન કરી શકીશ? મારાં બાળકોનું શું થશે?”—જેનેટ, યૂનાઇટેડ સ્ટેટ્‌સ.

“સાઇરન વાગે કે તરત હું બચાવ માટે અહીં તહીં દોડતી. બૉમ્બ ફૂટવાનો અવાજ આવતા જ હું જમીન પર સૂઈ જતી. કલાકો પછી પણ, મારા હાથ ધ્રૂજતા.”—એલોન, ઇઝરાયલ.

એક માણસ યુદ્ધ, ગરીબી, બીમારી અને જીવનની બીજી મુશ્કેલીઓને લીધે ચિંતામાં છે

આજે આપણે બધા લોકો ‘સંકટના વખતોમાં’ જીવતા હોવાથી ચિંતાથી ઘેરાયેલા છીએ. (૨ તીમોથી ૩:૧) ઘણા લોકો પૈસાની તંગી, કુટુંબમાં ભાગલા, યુદ્ધ, જીવલેણ બીમારીઓ અને કુદરતી અથવા માનવસર્જિત આફતોનો સામનો કરે છે. એ ઓછું હોય તેમ, વ્યક્તિને પોતાની અને કુટુંબની પણ ચિંતા હોય છે. જેમ કે, ‘મારા શરીરમાં જે ગુમડું થયું છે, શું એ કૅન્સરનું છે?’ ‘મારાં બાળકો મોટાં થશે અને તેઓનાં બાળકો થશે ત્યારે, દુનિયાની હાલત કેવી હશે?’

અમુક હદે ચિંતા થાય એ સ્વાભાવિક છે. આપણે જ્યારે કોઈ પરીક્ષા આપવા, લોકો સામે કંઈ રજૂ કરવા અથવા નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જઈએ, ત્યારે થોડી ઘણી ચિંતા થાય એ સામાન્ય છે. અમુક હદે જોખમનો ડર આપણને નુકસાનથી દૂર રહેવા મદદ કરે છે. પરંતુ, વધુ પડતી અથવા સતત ચિંતા કરતા રહેવામાં જોખમ રહેલું છે. હાલમાં જ ૬૮,૦૦૦ કરતાં વધુ લોકો પર એક અભ્યાસ કરવામાં આવ્યો. એનાથી જાણવા મળ્યું કે, થોડી ચિંતા કરવાથી પણ અકાળે મોતનું જોખમ રહેલું છે. એ કારણથી ઈસુએ પૂછ્યું હતું: “શું ચિંતા કરવાથી તમારા આયુષ્યમાં એકાદ ક્ષણનોય વધારો થઈ શકે?” સાચે જ, ચિંતા કરવાથી કોઈનું જીવન વધતું નથી. તેથી, ઈસુએ આ સલાહ આપી: “ચિંતા ન કરો.” (માથ્થી ૬:૨૫, ૨૭, IBSI) પરંતુ, સવાલ થાય કે શું એ શક્ય છે?

એનો જવાબ આપણને વ્યવહારુ પગલાં ભરવાથી, ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાથી અને ભાવિની સુંદર આશા રાખવાથી મળે છે. બની શકે કે, આપણે હાલમાં ખરાબ સંજોગોનો સામનો કરતા ન હોઈએ. પરંતુ, ભાવિમાં કદાચ એનો સામનો કરવો પડે. તેથી, ચાલો જોઈએ કે એ ત્રણ પગલાં ભરવાથી પૉલ, જેનેટ અને એલોનને કઈ રીતે ચિંતાનો સામનો કરવા મદદ મળી. (w૧૫-E ૦૭/૦૧)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો