વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૬/૧૨ પાન ૧
  • પ્રચાર કરવાના ૧૨ કારણો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પ્રચાર કરવાના ૧૨ કારણો
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • પ્રચાર કરવાના લહાવાને કિંમતી ગણીએ
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • સંદેશો ફેલાવવાના કામમાં ઉત્સાહ જાળવી રાખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • ‘પ્રભુમાં જે સેવા તમને સોંપેલી છે તે કરવાને સાવધ રહો’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • યહોવાની સેવામાં બનતું બધું કરીએ!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
વધુ જુઓ
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૬/૧૨ પાન ૧

પ્રચાર કરવાના ૧૨ કારણો

આપણે કેમ ઘરે ઘરે જઈને પ્રચાર કરીએ છીએ અને બાઇબલમાંથી લોકોને શીખવીએ છીએ? શું નેકદિલ લોકોને જીવનની રાહ પર ચાલવા મદદ કરવી એ મૂળ કારણ છે? (માથ્થી ૭:૧૪) આ કારણ અહીં પહેલું જણાવ્યું છે, પરંતુ એ જ આપણું મૂળ કારણ નથી. અહીં આપેલા પ્રચાર કરવાના ૧૨ કારણોમાંથી, તમને કયું કારણ સૌથી વધારે મહત્ત્વનું લાગે છે?

૧. પ્રચારથી લોકોનું જીવન બચી શકે છે.—યોહા. ૧૭:૩.

૨. એનાથી દુષ્ટોને ચેતવી શકાય છે.—હઝકી. ૩:૧૮, ૧૯.

૩. બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી કરવા મદદ કરે છે.—માથ. ૨૪:૧૪.

૪. એનાથી સાબિત થાય છે કે ઈશ્વર ન્યાયી છે, જેથી કોઈ એવું કહી નહિ શકે કે દુષ્ટોને પસ્તાવાની તક આપ્યા વગર ઈશ્વરે તેઓનો નાશ કર્યો.—પ્રે.કૃ. ૧૭:૩૦, ૩૧; ૧ તીમો. ૨:૩, ૪.

૫. ઈસુના લોહીથી ખરીદવામાં આવેલા લોકોને, ઈશ્વરનો સંદેશો જણાવીને આપણી જવાબદારી પૂરી કરીએ છીએ.—રોમ. ૧:૧૪, ૧૫.

૬. રક્તદોષથી આપણને બચાવે છે.—પ્રે.કૃ. ૨૦:૨૬, ૨૭.

૭. પોતાના તારણ માટે એ જરૂરી છે.—હઝકી. ૩:૧૯; રોમ. ૧૦:૯, ૧૦.

૮. બધા લોકો પર પ્રેમ બતાવા મદદ કરે છે.—માથ. ૨૨:૩૯.

૯. આપણે યહોવા અને ઈસુને આધીન છીએ એ બતાવે છે.—માથ. ૨૮:૧૯, ૨૦.

૧૦. આપણી ભક્તિનો એક ભાગ છે.—હિબ્રૂ ૧૩:૧૫.

૧૧. ઈશ્વરને પ્રેમ બતાવી શકીએ છીએ.—૧ યોહા. ૫:૩.

૧૨. યહોવાનું નામ પવિત્ર મનાવવા માટે મદદ કરે છે.—યશા. ૪૩:૧૦-૧૨; માથ. ૬:૯.

ખરું કે, પ્રચારમાં ભાગ લેવાના ફક્ત આ જ કારણો નથી. પ્રચાર કરવાથી આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. તેમ જ, ઈશ્વરની સાથે કામ કરનારા બનવાનો લહાવો મળે છે. (૧ કોરીં. ૩:૯) જોકે, ૧૨મું કારણ એ પ્રચાર કરવાનું સૌથી અગત્યનું કારણ છે. લોકો ભલે આપણું સાંભળે કે ન સાંભળે, પ્રચાર કરવાથી આપણે યહોવાનું નામ પવિત્ર મનાવી શકીએ છીએ. તેમ જ, યહોવાને તક મળે છે કે તેમને મહેણાં મારનારને ઉત્તર આપી શકે. (નીતિ. ૨૭:૧૧) સાચે જ, લોકોને ‘શીખવવાનું અને ઉપદેશ આપવાનું ચાલુ રાખવા’ માટે, આપણી પાસે બહુ સારું કારણ છે.—પ્રે.કૃ. ૫:૪૨.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો