ભારતના પશ્ચિમ બંગાળમાં માતા અને દીકરીને એક બહેન ખુશખબર જણાવી રહ્યાં છે
રજૂઆતની એક રીત
શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? (T-34 પાન ૧)
સવાલ: [દુઃખી કરતો સ્થાનિક બનાવ જણાવો અને પછી પત્રિકાનો વિષય બતાવો અને પૂછો] તમે આ સવાલનો શો જવાબ આપશો? શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? હા? ના? કે કદાચ?
શાસ્ત્રવચન: ગી ૩૭:૯-૧૧
આમ કહો: આ પત્રિકા બતાવે છે કે દુઃખ-તકલીફોનો જરૂર અંત આવશે, એ કેમ માની શકાય.
શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? (T-34 પાન ૪)
સવાલ: આજે દુનિયામાં બહુ દુષ્ટતા ચાલી રહી છે અને નિર્દોષ લોકોને ઘણું સહેવું પડે છે. તમને શું લાગે છે, ઈશ્વરે કેમ દુઃખ-તકલીફોને છૂટ આપી છે?
શાસ્ત્રવચન: ૨પી ૩:૯
આમ કહો: આ પત્રિકામાં બે કારણો જણાવ્યાં છે, જે ખાતરી આપે છે કે દુઃખ-તકલીફો જલદી જ દૂર થશે.
સત્ય શીખવો
સવાલ: શું ઈશ્વરને આપણી ચિંતા છે?
શાસ્ત્રવચન: ૧પી ૫:૭
સત્ય: ઈશ્વર આપણી સંભાળ રાખે છે, માટે તે આપણને પ્રાર્થના કરવાનું આમંત્રણ આપે છે.
રજૂઆત તમારા શબ્દોમાં
ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.