બાઇબલમાં રહેલો ખજાનો | નીતિવચનો ૭-૧૧
‘તારું હૃદય વળવા ન દે’
યહોવાના ધોરણો આપણું રક્ષણ કરે છે. એમાંથી ફાયદો લેવા, આપણે એ ધોરણો હૃદયમાં ઉતારવા જોઈએ. (નીતિ ૭:૩) જ્યારે યહોવાનો સેવક પોતાનું હૃદય બીજી તરફ વાળે છે, ત્યારે તે શેતાનના લોભામણા ફાંદામાં ફસાવવાના જોખમમાં આવે છે. નીતિવચનો અધ્યાય ૭ એવા યુવાન વિશે જણાવે છે, જેનું હૃદય તેને છેતરે છે. આપણે તેની ભૂલમાંથી શું શીખી શકીએ?
શેતાન આપણી પાંચ ઇન્દ્રિયોને ધ્યાનમાં રાખીને આપણને ખોટાં કામોમાં સંડોવવાનો પ્રયાસ કરે છે, જેથી આપણે યહોવાથી દૂર થઈ જઈએ
ડહાપણ અને સમજણ હશે તો, ખોટાં કામોનાં પરિણામ જાણવા અને ભક્તિને જોખમમાં નહિ મૂકવા મદદ મળશે