અઝરબૈજાનમાં પ્રકાશકો ખુશખબર પુસ્તિકા આપી રહ્યા છે
રજૂઆતની એક રીત
દુનિયા પર કોણ રાજ કરે છે? (T-33)
સવાલ: મોટાભાગના લોકો માને છે કે દુનિયા પર ઈશ્વર રાજ કરે છે. પણ જો એ સાચું હોય તો, શું આટલી દુઃખ-તકલીફો હોય? શું હું તમને શાસ્ત્રમાંથી બતાવી શકું કે, ઈશ્વર આ દુનિયા પર પોતાની હકૂમત લાવશે ત્યારે તે કેવાં પગલાં ભરશે?
શાસ્ત્રવચન: ગી ૩૭:૧૦, ૧૧
આમ કહો: આ પત્રિકા જણાવે છે કે આજે દુનિયા કોની મુઠ્ઠીમાં છે અને ભાવિમાં શું થવાનું છે.
સત્ય શીખવો
સવાલ: આપણને શા માટે બનાવવામાં આવ્યા છે?
શાસ્ત્રવચન: ગી ૩૭:૨૯
આમ કહો: ઈશ્વરે મનુષ્યોને પૃથ્વી પર હંમેશ માટે જીવવા બનાવ્યા છે.
ઈશ્વર પાસેથી ખુશખબર!
સવાલ: તમને શું લાગે છે, આપણે સાચી ખુશખબર ક્યાંથી મળી શકે? [શું તમે ખુશખબર જાણવા માંગો છો? વીડિયો બતાવો.]
શાસ્ત્રવચન: રોમ ૧૦:૧૫
આમ કહો: આ પુસ્તિકામાં ભાવિની સુંદર આશાનો સંદેશો છે, જે પવિત્ર શાસ્ત્રમાંથી લેવામાં આવ્યો છે.
રજૂઆત તમારા શબ્દોમાં
ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.