વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp21 નં. ૩ પાન ૬-૮
  • શું ભણતર અને પૈસાથી જ સુખ મળે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું ભણતર અને પૈસાથી જ સુખ મળે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • લોકોની આશા
  • શું લોકોને એનાથી ફાયદો થયો?
  • માબાપો, તમે તમારાં બાળકો માટે કેવું ભાવિ ચાહો છો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • સલામત જીવનની
    સજાગ બનો!—૧૯૯૮
  • સુખી જીવન, બધાનું સપનું
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
  • સુખી જીવનનો માર્ગ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
wp21 નં. ૩ પાન ૬-૮
બે છોકરીઓ યુનિવર્સિટી જાય છે.

શું ભણતર અને પૈસાથી જ સુખ મળે?

ઘણા લોકોને લાગે છે કે ખૂબ ભણવાથી અને બહુ પૈસા કમાવાથી તેઓનું ભાવિ સુખી બનશે. તેઓનું માનવું છે કે યુનિવર્સિટીમાં ભણીશું તો કામ સારી રીતે કરી શકીશું. એનાથી કુટુંબ અને સમાજને પણ ફાયદો થશે. તેઓને લાગે છે કે બહુ ભણીશું તો વધારે પગારવાળી નોકરી મળશે. એવી નોકરી હશે તો પૈસા આવશે અને પૈસા હશે તો જ જીવનમાં સુખ આવશે.

લોકોની આશા

ઝાંગ ચેન ચીનના છે. તેમનો ઉછેર ગરીબ પરિવારમાં થયો હતો. તે કહે છે, “મને લાગતું કે મારી પાસે ડિગ્રી હશે તો વધારે પગારવાળી નોકરી મળશે. એનાથી હું ખુશ રહી શકીશ અને આખું જીવન આરામથી વિતાવી શકીશ.”

એ માટે તેઓમાંના ઘણા વિદેશમાં ભણવા જાય છે. એવા લોકોની સંખ્યા છેલ્લા અમુક વર્ષોથી વધતી ને વધતી જાય છે. જોકે, કોરોનાને લીધે હાલમાં લોકોનું વિદેશમાં જવાનું થોડું ઓછું થયું છે. આર્થિક સહકાર અને વિકાસ માટેના સંગઠને ૨૦૧૨ના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે “વિદેશમાં ભણતા અડધા કરતાં વધારે વિદ્યાર્થીઓ એશિયાના દેશમાંથી આવે છે.”

બાળકોને વિદેશમાં ભણાવવા માટે માબાપ ઘણું જતું કરે છે. તાઇવાનમાં રહેતા સીસિયાંગ કહે છે, “મારા માબાપ પાસે એટલા બધા પૈસા ન હતા, તોપણ અમને ચારેય બાળકોને તેઓએ અમેરિકા ભણવા મોકલ્યાં.” તેમના માબાપે પણ ઘણા લોકોની જેમ બાળકોને વિદેશમાં ભણાવવા ઘણું બધું દેવું કર્યું.

શું લોકોને એનાથી ફાયદો થયો?

એમાંની એક છોકરી મોડી રાતે કૉમ્પ્યુટર સામે બેઠી છે. તે ખૂબ ચિંતામાં છે અને થાકેલી છે.

ઘણા લોકો બહુ ભણ્યા અને માલ-મિલકત ભેગી કરી છતાં પણ તેઓ સુખી નથી.

ખરું કે મોટી મોટી ડીગ્રી લેવાથી અમુક રીતે જીવન સારું બની શકે છે. પણ ઘણા વિદ્યાર્થીઓએ અનુભવ્યું છે કે જેવું તેઓ વિચારે છે એવું હંમેશાં થતું નથી. ઘણી વાર માબાપ યુવાનોને ભણાવવા દેવું કરે છે અને એને ચૂકવવા વર્ષો સુધી રાત-દિવસ મહેનત કરે છે. તોપણ યુવાનોને મનગમતી નોકરી મળતી નથી. સિંગાપુરના એક ન્યૂઝપેપરમાં બતાવવામાં આવ્યું હતું કે “આજકાલ લોકો પાસે ડિગ્રી હોવા છતાં નોકરી નથી.” તાઇવાનમાં રહેતા જીયેનજીએ બહુ ભણેલા છે. તે કહે છે, “આજે લોકોને ડિગ્રી પ્રમાણે નોકરી મળતી નથી એટલે તેઓએ બીજું જ કંઈ કામ કરવું પડે છે.”

ઘણાને મનગમતી નોકરી તો મળી જાય છે પણ ખુશી મળતી નથી. થાઇલૅન્ડના નાયરન સાથે એવું જ કંઈક થયું. તે યુરોપ ભણવા ગયા હતા. પોતાના દેશમાં પાછા આવ્યા પછી તેમને ગમતી નોકરી મળી ગઈ. તે કહે છે, “મને જેવી નોકરી જોઈતી હતી એવી જ મળી ગઈ. મેં જે ડિગ્રી લીધી એના લીધે જ મને સારા પગારની નોકરી મળી. પણ હું જ્યાં કામ કરતો ત્યાં બહુ ઓવરટાઈમ કરવો પડતો એટલે થાકીને લોથપોથ થઈ જતો. અમુક સમય પછી કંપનીએ મોટા ભાગના લોકોને નોકરીમાંથી છૂટા કરી દીધા. મારી પણ નોકરી જતી રહી ત્યારે મને સમજાયું કે ભલે આપણી પાસે સારામાં સારી નોકરી હોય, પણ એની કોઈ ગેરંટી નથી કે એનાથી આપણું જીવન સુખી જ બનશે.”

ઘણી વાર ધનવાન લોકોને જોઈને એવું લાગે કે તેઓ બહુ સુખી છે, પણ તેઓનાં જીવનમાં ઘણી મુશ્કેલીઓ હોય છે. તેઓ બીમાર પડે છે, કુટુંબોમાં ઝઘડા થતા હોય છે અને પૈસાની પણ ચિંતા હોય છે. જાપાનના કાતસૂતોશી કહે છે, “મારી પાસે બધું જ હતું કોઈ વાતની ખોટ ન હતી, તોપણ હું ખુશ ન હતો. કેમ કે લોકો મારી ઈર્ષા કરતા અને મારી સાથે ખરાબ રીતે વર્તતા હતા.” વિયેતનામની લામ કહે છે, “ઘણા લોકો બહુ પૈસા કમાય છે, જેથી તેઓનું પછીનું જીવન આરામથી વીતે પણ એનાથી ઊંધું જ થાય છે. તેઓ વધુ પડતી ચિંતા કરવા લાગે છે, બીમાર પડી જાય છે અને નિરાશામાં ડૂબી જાય છે.”

કેમ ભણવું અને પૈસા કમાવા જ પૂરતું નથી?

આપણે કુટુંબનું ગુજરાન ચલાવવા સ્કૂલનું શિક્ષણ લઈએ અને થોડા ઘણા પૈસા કમાઈએ એ જરૂરી છે. પણ એની કોઈ ગેરંટી નથી કે એ બધાથી આપણને સુખ મળશે. ચાલો જોઈએ કે પવિત્ર શાસ્ત્ર એના વિશે શું કહે છે?

ઉચ્ચ શિક્ષણ લેવાથી હંમેશાં સફળતા મળતી નથી

‘એવું નથી કે ઝડપથી દોડનાર હંમેશાં દોડમાં જીતે. બુદ્ધિશાળી માણસ હંમેશાં ધનવાન હોય કે જ્ઞાની માણસને હંમેશાં સફળતા મળે. કેમ કે સમય અને અણધાર્યા સંજોગોની અસર બધાને થાય છે.’—સભાશિક્ષક ૯:૧૧.

ભલે કોઈએ બહુ મોટી મોટી ડિગ્રી લીધી હોય, પણ સફળતા મળશે કે નહિ એ તેના હાથમાં નથી. જેમ કે, દેશમાં આર્થિક મંદી આવે, રાજકારણમાં ઊથલ-પાથલ થાય અથવા કોઈ ભેદભાવના કારણે ઘણી વાર સારું શિક્ષણ લીધેલી વ્યક્તિ પણ જે કરવા ચાહે છે એ કરી શકતી નથી.

પૈસા આજે છે તો કાલે નથી

“ધનવાન થવા તારી જાત ઘસી નાખીશ નહિ. એવું ન કર, પણ સમજણથી કામ લે. દોલત તો આંખના પલકારામાં ગાયબ થઈ જાય છે, પૈસાને પાંખો આવે છે અને ગરુડની જેમ આકાશમાં ઊડી જાય છે.”—નીતિવચનો ૨૩:૪, ૫.

પૈસાથી આપણને અમુક હદે સલામતી મળે છે. પણ એ સલામતી ઘડી બે ઘડીની હોય છે. કેમ કે પૈસા આજે છે તો કાલે નથી. આર્થિક મંદી આવી પડે ત્યારે, એક વ્યક્તિની જીવનભરની કમાણી તેના હાથમાંથી રાતોરાત જતી રહી શકે. પૂર, ભૂકંપ, વાવાઝોડા જેવી કુદરતી આફતોને લીધે વ્યક્તિ અચાનક ઘર-બાર ગુમાવી બેસે.

પૈસા પાછળ દોડવાથી મુસીબત આવે છે

“અમીરની પુષ્કળ મિલકત તેને નિરાંતે સૂવા દેતી નથી.”—સભાશિક્ષક ૫:૧૨.

હૉંગ કૉંગમાં રહેતા ફ્રેન્કલીનભાઈના જીવનમાં એ કહેવત સાચી પડી. તે બહુ ભણેલા હતા અને તેમની સારી એવી નોકરી હતી. થોડા સમય પછી તેમને મૅનેજર બનાવવામાં આવ્યા. તે કહે છે, ‘મને કામનું એટલું ટેન્શન રહેતું કે હું રાતે બરાબર ઊંઘી ન શકતો. મારી તબિયત બગડવા લાગી. પછી હું વિચારવા લાગ્યો કે હું આ બધું કેમ કરું છું? શું આ જ જીવન છે?’ આખરે, મેં કંટાળીને નોકરી છોડી દીધી.

“ધનવાન થવા તારી જાત ઘસી નાખીશ નહિ.”​—નીતિવચનો ૨૩:૪.

ફ્રેન્કલીનભાઈની જેમ ઘણા લોકોને અહેસાસ થયો કે ફક્ત બહુ ભણવાથી અને માલ-મિલકત ભેગી કરવાથી જ સુખ ખરીદી શકાતું નથી. એવું તો બીજું ઘણું બધું છે જે પૈસા કરતાં મહત્ત્વનું છે. અમુક લોકોને લાગે છે કે બીજાનું ભલું કરવાથી અને ભલાઈનાં કામો કરવાથી સુખ મળે છે. પણ શું ખરેખર એવું છે? ચાલો હવે પછીના લેખમાં એ સવાલનો જવાબ જોઈએ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો