વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp21 નં. ૩ પાન ૯-૧૧
  • શું ભલાઈ કરવાથી સુખી જીવન મળી શકે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું ભલાઈ કરવાથી સુખી જીવન મળી શકે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • લોકો સુખી જીવન માટે ભલાઈનાં કામો કરે છે
  • શું લોકોને એનાથી ફાયદો થયો?
  • સુખી જીવન, બધાનું સપનું
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
  • સુખી જીવનનો માર્ગ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
  • પ્રસ્તાવના
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
  • ‘નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૮
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
wp21 નં. ૩ પાન ૯-૧૧
એક સ્ત્રી વૃદ્ધ બહેનને બસમાં પોતાની સીટ આપે છે.

શું ભલાઈ કરવાથી સુખી જીવન મળી શકે?

સદીઓથી લોકો માને છે કે બીજાનું ભલું કરવાથી પોતાનું જ ભલું થાય છે. આશરે ૨,૫૦૦ વર્ષ પહેલાં કન્ફ્યૂશિયસ નામના (ઈસવીસન પૂર્વે ૫૫૧-૪૭૯) જાણીતા વિદ્વાન પણ એવું જ માનતા હતા. તેમણે કહ્યું, “તમે પોતાના માટે જે નથી ચાહતા એ બીજા માટે ન કરો. એશિયાના ઘણા લોકો તેમની એ વાતને ટેકો આપે છે.”a

લોકો સુખી જીવન માટે ભલાઈનાં કામો કરે છે

આજે પણ ઘણા લોકો માને છે કે જો તમે બીજાઓનું ભલું કરશો તો તમારું ભલું થશે. તેઓ બીજાઓને માન આપે છે, સારી રીતે વર્તે છે અને પોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે. તેઓ કોઈનું ખરાબ કરતા નથી એટલે તેઓનું દિલ ડંખતું નથી. વિયેતનામના લીનબહેન કહે છે, “હું હંમેશાં માનતી હતી કે જો ઈમાનદાર રહીશ અને સાચું બોલીશ, તો મારું જ ભલું થશે.”

એ જ સ્ત્રી ગરીબ અને ઘર વગરના લોકોને ખાવાનું આપે છે.

અમુક લોકો ફક્ત એટલા માટે ભલાઈનાં કામો કરે છે, કેમ કે તેઓનો ધર્મ એવું શીખવે છે. તાઇવાનના શીયેનભાઈ કહે છે, “મને નાનપણથી શીખવવામાં આવ્યું હતું કે જો એક વ્યક્તિ સારાં કામ કરશે તો મરણ પછી તે હંમેશાં સુખ ભોગવશે, પણ જો ખરાબ કામ કરશે તો હંમેશાં પીડા ભોગવશે.”

શું લોકોને એનાથી ફાયદો થયો?

એ જ સ્ત્રી રાતના સમયે બહુ થાકેલી અને દુઃખી લાગે છે અને ખોળામાં તેનો દીકરો છે.

એ વાત સાચી છે કે બીજાઓનું ભલું કરવાથી આપણને ઘણા ફાયદા થાય છે, પણ ઘણા લોકો સાથે એનાથી ઊંધું જ થયું. તેઓએ જેઓને મદદ કરી તેઓએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું. હૉંગ કૉંગનાં સ્યૂ-પિંગ સાથે પણ એવું જ કંઈક થયું. તે કહે છે, “મેં કુટુંબની બહુ સંભાળ રાખી. તેઓને કોઈ વાતે ખોટ આવવા ન દીધી, પણ કંઈ ફાયદા થયો નહિ. અમારું લગ્‍ન તૂટી ગયું. મારાં પતિ મને અને મારાં દીકરાને છોડીને જતા રહ્યા. એનાથી મને શીખવા મળ્યું કે જેઓ સારું કરે છે, તેઓ સાથે હંમેશાં સારું થતું નથી.”

ઘણા લોકોએ જોયું છે કે બધા ધાર્મિક લોકો સારા હોતા નથી. જાપાનની એટ્‌સકો કહે છે, “હું એક ધાર્મિક સંગઠન સાથે જોડાઈ ગઈ. હું ત્યાં યુવાનો માટે કાર્યક્રમોનું આયોજન કરતી હતી. પણ મેં જોયું કે ત્યાં તો લોકો સત્તા માટે એકબીજાથી ચઢિયાતા થવા માંગતા હતા ને ગંદાં કામો કરતા હતા. અરે! તેઓ તો દાનના પૈસાનો ખોટો ઉપયોગ કરતા હતા. એ જોઈને હું ચોંકી ગઈ.”

“મેં કુટુંબની બહુ સંભાળ રાખી. તેઓને કોઈ વાતે ખોટ આવવા ન દીધી, પણ કંઈ ફાયદા થયો નહિ. અમારું લગ્‍ન તૂટી ગયું. મારાં પતિ મને અને મારાં દીકરાને છોડીને જતા રહ્યા.”​—સ્યૂ-પિંગ, હૉંગ કૉંગ

ઘણા લોકો ભગવાનમાં બહુ શ્રદ્ધા રાખે છે અને ભલાઈનાં કામો કરે છે. તોપણ તેઓ સાથે ખરાબ થાય છે, એટલે તેઓ નિરાશ થઈ જાય છે. વિયેતનામની વાન સાથે પણ એવું જ કંઈક થયું. તે કહે છે, “હું પૂર્વજોની પૂજા કરતી બહુ જ ફળ-ફૂલ ચઢાવતી અને ભોગ ધરાવતી. મને લાગતું કે આ બધું કરવાથી તેઓનો આશીર્વાદ મારાં પર રહેશે. મેં વર્ષો સુધી પૂજા-પાઠ કર્યાં, ભલાઈનાં કામો કર્યાં, તોપણ મારી સાથે ખરાબ થયું. મારાં પતિ બહુ બીમાર પડી ગયા. અમુક સમય પછી મારી દીકરી વિદેશમાં ભણવા ગઈ ત્યાં તે ગુજરી ગઈ તે ફક્ત ૨૦ વર્ષની હતી.”

ભલાઈનાં કામો કરવા જ કેમ પૂરતાં નથી?

એક સારો માણસ ભલાઈનાં કામો કરે એ સારી વાત છે, પણ એનાથી જીવન સુખી થતું નથી. એવું કેમ? ચાલો એનો જવાબ પવિત્ર શાસ્ત્રમાંથી મેળવીએ.

બધા જ સારાં કામો કરતા નથી

“બધી સારી વસ્તુઓનો નાશ કરવા એક પાપી જ પૂરતો છે.”—સભાશિક્ષક ૯:૧૮.

આપણે સારા બનવા લાખ પ્રયત્ન કરીએ, તોપણ બીજાઓના લીધે આપણને નુકસાન થઈ શકે છે. બની શકે કે મહામારી દરમિયાન આપણે માસ્ક પહેરીએ અને યોગ્ય અંતર રાખીએ. પણ બીજાઓ એવું ન કરે તો તેઓના લીધે આપણો જીવ જોખમમાં પડી શકે.

ઘણી વાર લોકો ખરાબ કામોને સારાં માની લે છે

“એક એવો માર્ગ છે, જે માણસને સાચો લાગે છે, પણ આખરે એ મરણ તરફ લઈ જાય છે.”—નીતિવચનો ૧૪:૧૨.

ઘણા લોકોને લાગ્યું કે તેઓ જે કરે છે એ જ સારું છે, પણ પછી તેઓને અફસોસ થાય છે કે તેઓએ જે કર્યું એ ખોટું હતું. ભલે તેઓનો ઇરાદો સારો હતો, પણ તેઓએ જે ખોટા નિર્ણયો લીધા એનું પરિણામ તો તેઓએ ભોગવવું જ પડ્યું.

જીવનનો કોઈ ભરોસો નથી

“તમે જાણતા નથી કે કાલે તમારા જીવનમાં શું થશે.”—યાકૂબ ૪: ૧૪.

કોઈ માણસ ભલે ગમે એટલો સારો હોય, તોપણ અચાનક તેનું મરણ થઈ શકે છે. જેમ કે, કોરોના મહામારી દરમિયાન ઘણાએ આગળ આવીને લોકોને મદદ કરી, તોપણ પોતાનો જીવ ગુમાવ્યો. ચીનમાં રહેતાં લીટિંગ નામની એક સ્ત્રીનો વિચાર કરીએ. તેમનાં પિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું. તે કહે છે, “મારાં પપ્પા ખૂબ દયાળુ, મહેનતુ અને નમ્ર હતા. તે તો ભલા માણસ હતા. તે જે ગાડીમાં હતા, એમાંથી બીજા બધા બચી ગયા, પણ મારાં પપ્પા સાથે જ કેમ એવું બન્યું.”

આપણે જોયું તેમ ફક્ત ભલાઈનાં કામો કરવાથી ગેરંટી મળતી નથી કે આપણું ભવિષ્ય સારું જ હશે. તો પછી જીવનમાં સુખી થવા સાચી સલાહ ક્યાંથી મળી શકે? ચાલો હવે પછીના લેખમાં એ સવાલનો જવાબ મેળવીએ.

a કન્ફ્યુશિયસ જે માનતા હતા એ વિશે વધુ જાણવા મેનકાઈન્ડ સર્ચ ફોર ગૉડ પુસ્તકનું પ્રકરણ ૭, ફકરા ૩૧-૩૫ જુઓ. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે અને www.pr418.com પર ઓનલાઇન પ્રાપ્ય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો