વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w22 જુલાઈ પાન ૩૧
  • વાચકો તરફથી પ્રશ્નો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વાચકો તરફથી પ્રશ્નો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • સરખી માહિતી
  • સત્યથી ‘શાંતિ તો નહિ, પણ ભાગલા પડે છે’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • કુટુંબમાં બધા સત્યમાં ન હોય તોપણ ખુશ રહી શકાય
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • સત્યમાં નથી એવા જીવનસાથીને કેવી રીતે મદદ કરી શકીએ?
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
w22 જુલાઈ પાન ૩૧

વાચકો તરફથી પ્રશ્નો

ઈસુએ કહ્યું: “એમ ન ધારતા કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું” એનાથી તે શું કહેવા માંગતા હતા?

ઈસુ લોકોને શીખવતા કે તેઓ એકબીજા સાથે શાંતિથી રહે. પણ એકવાર તેમણે પ્રેરિતોને કહ્યું: “એમ ન ધારતા કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું. હું શાંતિ લાવવા નહિ, પણ તલવાર ચલાવવા આવ્યો છું. હા, હું ભાગલા પાડવા આવ્યો છું. દીકરો તેના પિતા વિરુદ્ધ, દીકરી તેની મા વિરુદ્ધ, વહુ તેની સાસુ વિરુદ્ધ થશે.” (માથ. ૧૦:૩૪, ૩૫, ફૂટનોટ) તે શું કહેવા માંગતા હતા?

ઈસુ નહોતા ચાહતા કે કુટુંબો તૂટી જાય. પણ તે જાણતા હતા કે એક વ્યક્તિ તેમના શિક્ષણ પ્રમાણે જીવવા લાગશે તો કદાચ તેના કુટુંબીજનોને નહિ ગમે અને તેઓના સંબંધોમાં તિરાડ પડે. બની શકે કે કોઈના જીવનસાથી અથવા કુટુંબીજન તેનો વિરોધ કરે. એટલે કદાચ તેના માટે ઈસુના શિક્ષણ પ્રમાણે જીવવું અઘરું થઈ જાય. ઈસુ ચાહતા હતા કે જો એક વ્યક્તિ તેમની શિષ્ય બનવા માંગે અને બાપ્તિસ્મા લેવા માંગે તો તેને પણ ખ્યાલ હોય કે તેની સાથે એવું થઈ શકે છે.

બાઇબલમાં આપણને ઉત્તેજન આપવામાં આવ્યું છે કે ‘બધા લોકો સાથે હળી-મળીને રહો.’ (રોમ. ૧૨:૧૮) પણ વ્યક્તિ ઈસુના શિક્ષણ પ્રમાણે ચાલવા લાગે ત્યારે અમુક કુટુંબીજનોને એ ન ગમે અને તેઓ વિરોધ કરે. આમ, ઈસુનું શિક્ષણ એક “તલવાર” હોય એમ કુટુંબમાં ભાગલા પાડે છે. તેના ઘરના લોકો જ તેના “દુશ્મનો” બની જાય છે.—માથ. ૧૦:૩૬.

એક છોકરીના ચહેરા પર હિંમત છલકાય છે અને તે ક્યાંક જઈ રહી છે. તેનાં મમ્મી તેને રોકવાની કોશિશ કરે છે. છોકરીના હાથમાં “દુઃખ જશે, સુખ આવશે” પુસ્તક છે.

આજે ઈસુના ઘણા શિષ્યોના કુટુંબ યહોવાના સાક્ષી નથી. કુટુંબીજનો તેઓને એવું કંઈક કરવાનું કહે જે યહોવાની નજરમાં ખોટું છે. જેમ કે, તેઓને તહેવારો ઊજવવાનું દબાણ કરે. એવા સમયે એક વ્યક્તિએ નિર્ણય લેવાનો છે કે તે યહોવા અને ઈસુને ખુશ કરશે કે પછી તેના કુટુંબીજનોને. ઈસુએ કહ્યું: “પિતા કે માતા પર જે કોઈ મારા કરતાં વધારે પ્રેમ રાખે છે, તે મારો શિષ્ય થવા યોગ્ય નથી.” (માથ. ૧૦:૩૭) ઈસુ અહીંયા એ ન’તા કહી રહ્યા કે તેમના શિષ્યોએ પોતાનાં માતા-પિતાને પ્રેમ નથી કરવાનો, તેઓ સાથે સંબંધ કાપી નાખવાનો છે. પણ તે શીખવી રહ્યા હતા કે જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે. જો કોઈના કુટુંબીજન તેને યહોવાની ભક્તિ કરતા રોકે, તોપણ તેઓને પ્રેમ કરતા રહેવું જોઈએ. પણ તેઓ કરતાં તેણે યહોવાને સૌથી વધારે પ્રેમ કરવો જોઈએ.

ઘરના લોકો જ આપણો વિરોધ કરે તો આપણું દિલ ચિરાઈ જાય છે. પણ આપણે ઈસુના આ શબ્દો યાદ રાખવા જોઈએ: “જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થવા યોગ્ય નથી.” (માથ. ૧૦:૩૮) આપણને ખ્યાલ છે કે ઈસુના શિષ્યો બનવાથી આપણે ઘણી મુશ્કેલીઓ સહેવી પડશે. કદાચ આપણા કુટુંબીજનો જ આપણો વિરોધ કરે. તેઓ વિરોધ કરે તોપણ આપણે તેઓ સાથે સારી રીતે વર્તવું જોઈએ. શું ખબર એક દિવસે કદાચ તેઓને પણ બાઇબલની વાતોમાં રસ પડે.—૧ પિત. ૩:૧, ૨.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો