વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp25 નં. ૧ પાન ૯
  • શા માટે યુદ્ધ અને લડાઈઓનો અંત નથી આવતો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શા માટે યુદ્ધ અને લડાઈઓનો અંત નથી આવતો?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • પાપ
  • માણસોની સરકાર
  • શેતાન અને તેના દુષ્ટ દૂતો
  • કઈ રીતે યુદ્ધ અને લડાઈઓનો અંત આવશે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૫
  • યુદ્ધ અને લડાઈઓની આપણા પર કેવી અસર થાય છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૫
  • આપણા પર મરણ કેમ આવે છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • બૂરાઈ ઈશ્વરે હજી કેમ દૂર કરી નથી?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૫
wp25 નં. ૧ પાન ૯

શા માટે યુદ્ધ અને લડાઈઓનો અંત નથી આવતો?

બાઇબલમાં જણાવ્યું છે કે યુદ્ધ અને લડાઈઓ થવા પાછળનું મૂળ કારણ શું છે. એમાં એ પણ જણાવ્યું છે કે શા માટે યુદ્ધોનો અંત નથી આવતો.

પાપ

ઈશ્વરે આપણા પ્રથમ માબાપ, આદમ અને હવાને એવાં બનાવ્યાં હતાં કે તેઓ ઈશ્વર જેવા ગુણો બતાવી શકતાં હતાં. જેમ કે, પ્રેમ અને શાંતિ જેવા ગુણો. (ઉત્પત્તિ ૧:૨૭; ૧ કોરીંથીઓ ૧૪:૩૩; ૧ યોહાન ૪:૮) જોકે, આદમ અને હવાએ યહોવાનું કહ્યું માન્યું નહિ અને પાપ કરી બેઠાં. આપણે બધા આદમ અને હવાનાં બાળકો છીએ, એટલે આપણને વારસામાં પાપ અને મરણ મળ્યાં. (રોમનો ૫:૧૨) એ પાપની અસરના લીધે, આપણે ઘણી વાર ખરાબ વિચારીએ છીએ. પરિણામે ખરાબ કામો કરીએ છીએ અને હિંસા કરી બેસીએ છીએ.—ઉત્પત્તિ ૬:૫; માર્ક ૭:૨૧, ૨૨.

માણસોની સરકાર

ઈશ્વરે આપણને એ રીતે નથી બનાવ્યા કે આપણે એકબીજા પર રાજ કરીએ. બાઇબલમાં લખ્યું છે: આપણે ‘પોતાની મેળે એક પગલું પણ ભરી શકતા નથી.’ (યર્મિયા ૧૦:૨૩) એટલે માણસોની સરકારો ક્યારેય યુદ્ધ અને લડાઈઓ પૂરી રીતે દૂર નહિ કરી શકે.

શેતાન અને તેના દુષ્ટ દૂતો

બાઇબલમાં જણાવ્યું છે કે “આખી દુનિયા શેતાનના કાબૂમાં છે.” (૧ યોહાન ૫:૧૯) “શેતાન” ખૂબ દુષ્ટ છે અને એક ખૂની છે. (યોહાન ૮:૪૪) તેની સાથે બીજા દુષ્ટ દૂતો પણ છે. તેઓ લોકોને ગેરમાર્ગે દોરીને યુદ્ધ અને લડાઈઓ કરવા ઉશ્કેરે છે.—પ્રકટીકરણ ૧૨:૯, ૧૨.

આપણે યુદ્ધ અને લડાઈઓ પાછળનું મૂળ કારણ દૂર કરી શકતા નથી, પણ ઈશ્વર કરી શકે છે.

યુદ્ધમાં ધર્મનો હાથ

ઘણી વાર યુદ્ધો થાય છે ત્યારે ધર્મો ચૂપ રહે છે, યુદ્ધોને વાજબી ઠરાવે છે અથવા યુદ્ધો કરવાનું ઉત્તેજન આપે છે. એ ધર્મો જૂઠું શિક્ષણ આપે છે અને એવા ધર્મોને બાઇબલમાં “મહાન બાબેલોન” કહેવામાં આવ્યા છે. (પ્રકટીકરણ ૧૮:૨) એ ધર્મોએ, એટલે કે મહાન બાબેલોને અમુક લોકોને ‘પૃથ્વી પર મારી નાખ્યા’ હતા. (પ્રકટીકરણ ૧૮:૨૪) ઈશ્વર તેઓના મરણ માટે મહાન બાબેલોનને જવાબદાર ગણે છે. એ વિશે વધારે જાણવા, jw.org/gu પર “પવિત્ર બાઇબલ શું શીખવે છે?” પુસ્તકમાં ‘વધારે માહિતી’ વિભાગમાં આ લેખ જુઓ: “‘મહાન બાબેલોન’ શું છે?”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો