વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp25 નં. ૧ પાન ૪-૫
  • યુદ્ધ અને લડાઈઓની આપણા પર કેવી અસર થાય છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યુદ્ધ અને લડાઈઓની આપણા પર કેવી અસર થાય છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૫
  • સરખી માહિતી
  • કઈ રીતે યુદ્ધ અને લડાઈઓનો અંત આવશે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૫
  • શા માટે યુદ્ધ અને લડાઈઓનો અંત નથી આવતો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૫
  • યુદ્ધ શું હંમેશ માટે રહેશે?
    સજાગ બનો!—૧૯૯૯
  • પ્રસ્તાવના
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૫
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૫
wp25 નં. ૧ પાન ૪-૫
ચિત્ર: ૧. મેદાનમાં તોપની આગળ એક સૈનિક ચાલે છે. ૨. યુદ્ધના લીધે ઘણું સહેવું પડ્યું છે, એવાં અલગ અલગ દેશનાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો.

યુદ્ધ અને લડાઈઓની આપણા પર કેવી અસર થાય છે?

“બીજા વિશ્વ યુદ્ધ પછી, જો સૌથી વધારે લડાઈઓ થઈ હોય તો એ આજના સમયમાં છે. બે અબજ લોકો, એટલે કે દર ચારમાંથી એક વ્યક્તિ, લડાઈઓ થઈ રહી છે એવા વિસ્તારમાં રહે છે.”

યુનાઈટેડ નેશન્સ ડેપ્યુટી સેક્રેટરી-જનરલ અમીના જે. મોહમ્મદ, ૨૬ જાન્યુઆરી, ૨૦૨૩.

ધાર્યું ન હોય એવા વિસ્તારોમાં પણ અચાનક યુદ્ધો શરૂ થઈ શકે છે. અરે, યુદ્ધ ના થતું હોય એ દેશોમાં પણ એની અસર થાય છે. યુદ્ધ પછી પણ એની ખરાબ અસરો લાંબા સમય સુધી રહે છે. ચાલો એના અમુક દાખલાઓ જોઈએ:

  • એક ચિત્રમાં બંને હાથમાં એક વાટકો છે.

    ખોરાકની અછત. વર્લ્ડ ફુડ પ્રોગ્રામ સંસ્થા પ્રમાણે “આજે પણ ખોરાકની અછતનું મુખ્ય કારણ યુદ્ધો છે. આજે દુનિયામાં કરોડો લોકો ભૂખમરાનો સામનો કરે છે. એમાંના ૭૦ ટકા લોકો યુદ્ધો ચાલતા હોય એવા વિસ્તારમાં રહે છે.”

  • એક ચિત્રમાં એક સ્ત્રી ઉદાસ છે. તેણે બંને હાથે પોતાનું મોં ઢાંક્યું છે.

    શરીર અને મન પર અસર. યુદ્ધ ફાટી નીકળવાનો ડર હોય, એવા વિસ્તારના લોકો ખૂબ જ તણાવ અને ચિંતામાં હોય છે. લડાઈ ચાલતી હોય એવા વિસ્તારના લોકોને ઈજા થવાનો ખતરો રહે છે. એટલું જ નહિ, એ બધાની તેઓના મન પર ઘણી અસર થાય છે. પણ દુઃખની વાત છે કે તેઓના શરીર અને મન પર જે અસર થાય છે, એ માટે તેઓને પૂરતી સારવાર પણ નથી મળતી.

  • એક ચિત્રમાં બાળક સાથે તેના માબાપ છે. માબાપે મોટા થેલાઓમાં તેઓનો સામાન ઉપાડ્યો છે.

    ઘર છોડવું પડે. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રૅફ્યૂજી સંસ્થા પ્રમાણે સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં દુનિયા ફરતે ૧૧ કરોડ ૪૦ લાખ કરતાં વધારે લોકોએ પરાણે પોતાના ઘર છોડવા પડ્યા. એની પાછળનું મુખ્ય કારણ છે, યુદ્ધો અને લડાઈઓ.

  • એક ચિત્રમાં એક કુટુંબ તેમના સામાન્ય ઘર સામે ઊભું છે.

    દેશમાં પૈસાની મુશ્કેલી. યુદ્ધના કારણે લોકોએ પૈસેટકે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે, ચીજવસ્તુઓના ભાવ ખૂબ વધી જાય. લોકોની સારવાર અને ભણતર માટેના પૈસા સરકાર યુદ્ધમાં ખર્ચે છે ત્યારે, લોકોની તકલીફો અનેક ઘણી વધી જાય છે. યુદ્ધ પછી થયેલી તબાહીના સમારકામમાં અઢળક ખર્ચ થઈ જાય છે.

  • એક ચિત્રમાં પાઇપમાંથી તેલ નીકળી રહ્યું છે.

    પર્યાવરણ પર અસર. જે દેશમાં યુદ્ધ થાય છે, ત્યાં ઘણું નુકસાન થાય છે. હવા, પાણી અને જમીન, બધું જ પ્રદૂષિત થઈ જાય છે. એની અસર ઘણા લાંબા સમય સુધી લોકોની તંદુરસ્તી પર પડે છે. યુદ્ધ પતી ગયાના દાયકાઓ પછી પણ જમીનમાં છુપાયેલી સુરંગો ફાટવાનું જોખમ રહે છે.

એમાં કોઈ બે મત નથી કે યુદ્ધોને લીધે ચારે બાજુ વિનાશ થાય છે અને લોકોએ ઘણું ભોગવવું પડે છે.

બાઇબલમાં યુદ્ધ વિશે ભવિષ્યવાણીઓ

બાઇબલમાં લખેલી ભવિષ્યવાણીઓથી ખબર પડે છે કે ‘દુનિયાના અંતની’, એટલે કે આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ એમાં યુદ્ધ અને લડાઈઓ થશે. (માથ્થી ૨૪:૩) ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું:

  • “તમે યુદ્ધોનો ઘોંઘાટ અને યુદ્ધોની ખબરો સાંભળશો. . . . એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે.”—માથ્થી ૨૪:૬, ૭.

  • “યુદ્ધોનો ઘોંઘાટ અને હુલ્લડો વિશે સાંભળો ત્યારે ગભરાતા નહિ.”—લૂક ૨૧:૯.

    મૂળ ભાષામાં “હુલ્લડ” માટે જે શબ્દ વપરાયો છે, એનો અર્થ થાય, રાજકીય બાબતોને લીધે થતી ઊથલ-પાથલ અને સરકાર વિરુદ્ધ બળવો.

વધારે જાણવા, jw.org/gu પર આ લેખ વાંચો: “‘છેલ્લા દિવસો’ કે ‘અંતના સમયની’ નિશાની શું છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો