ફૂટનોટ
b હઝકીએલ ૩૭:૧-૧૪ તેમજ પ્રકટીકરણ ૧૧:૭-૧૨માં જણાવેલા બંને અહેવાલો ૧૯૧૯માં બનેલા બનાવો વિશે જણાવે છે. હઝકીએલની ભવિષ્યવાણી યહોવાના બધા જ લોકોએ મહાન બાબેલોનની લાંબી ગુલામીમાંથી આઝાદ થઈને, ફરીથી સાચી ભક્તિ શરૂ કરી એના વિશે વાત કરે છે. જ્યારે કે, પ્રકટીકરણની ભવિષ્યવાણી સાલ ૧૯૧૯માં ફરી જન્મેલા એક સમૂહની વાત કરે છે. એ સમૂહ અભિષિક્ત ભાઈઓથી બનેલો એક નાનો સમૂહ છે, જેણે યહોવાના લોકોની આગેવાની લીધી છે. એ ભાઈઓને અમુક સમયગાળા માટે નિષ્ક્રિય કરી નાખવામાં આવ્યા હતા.