-
યહોવાહ પોતાનો ક્રોધ દેશો પર રેડે છેયશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
-
-
વેર વાળવાનો દિવસ
૯. (ક) અદોમનો ઉદ્ભવ શું છે અને ઈસ્રાએલ તથા અદોમ વચ્ચે કેવા સંબંધ વિકસે છે? (ખ) અદોમ વિષે યહોવાહ કયો ફેંસલો કરે છે?
૯ હવે ભવિષ્યવાણી યશાયાહના સમયના એક દેશ, અદોમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અદોમના લોકો એસાવ (અદોમ)ના વંશજો છે, જેણે પોતાનું જયેષ્ઠપણું પોતાના જોડિયા ભાઈ, યાકૂબને ફક્ત દાળ અને રોટલીને માટે વેચી દીધું. (ઉત્પત્તિ ૨૫:૨૪-૩૪) હવે, એસાવની જગ્યાએ યાકૂબને જયેષ્ઠપણાના લાભ મળ્યા, એટલે તે તેના ભાઈને ધિક્કારવા લાગ્યો. પછીથી, જોડિયા ભાઈઓના વંશજ હોવા છતાં, અદોમની પ્રજા અને ઈસ્રાએલની પ્રજા દુશ્મનો બન્યા. યહોવાહના લોકો વિરુદ્ધ દુશ્મની રાખવાને કારણે અદોમ તેમનો કોપ વહોરી લે છે, જે હવે કહે છે: “મારી તરવાર આકાશમાં પીને ચકચૂર થઈ છે; જુઓ, તે અદોમને, ને મારાથી શાપિત થએલા લોકને શાસન કરવા માટે ઊતરશે. યહોવાહની તરવાર લોહીથી ભરપૂર છે, તે મેદથી, હલવાન તથા બકરાંના લોહીથી, બકરાના ગુર્દાના મેદથી ઊંજાએલી છે; કેમકે બોસ્રાહમાં યહોવાહનો યજ્ઞ તથા અદોમ દેશમાં મોટો વધ છે.”—યશાયાહ ૩૪:૫, ૬.
૧૦. (ક) યહોવાહ “આકાશમાં” તરવાર વીંઝશે ત્યારે, તે કોને નીચે પાડી નાખશે? (ખ) યહુદાહ પર બાબેલોનીઓએ હુમલો કર્યો ત્યારે, અદોમે શું કર્યું?
૧૦ અદોમનો વિસ્તાર ઊંચાણના પર્વતોવાળો છે. (યિર્મેયાહ ૪૯:૧૬; ઓબાદ્યાહ ૮, ૯, ૧૯, ૨૧) તોપણ, યહોવાહ ‘આકાશમાંથી’ ન્યાયકરણની તરવાર વીંઝશે ત્યારે, આ કુદરતી રક્ષણ તેને બચાવી શકશે નહિ અને અદોમના શાસકો ઊંચેથી નીચે પડશે. અદોમ લશ્કરી રીતે એકદમ શક્તિશાળી છે અને દેશનું રક્ષણ કરવા તેના લશ્કરો હથિયાર લઈ ઊંચા પર્વતોમાં કૂચ કરે છે. પરંતુ, યહુદાહ પર બાબેલોની સૈન્યો હુમલો કરે છે ત્યારે, શક્તિશાળી અદોમે તેને કોઈ મદદ કરી નહિ. એને બદલે, યહુદાહના રાજ્યને વિનાશ થતો જોઈને તે તો ખુશ થયું, અને તેના દુશ્મનોને હજુ ઉશ્કેરતું હતું. (ગીતશાસ્ત્ર ૧૩૭:૭) અરે, અદોમ તો જીવ લઈને નાસી છૂટતા યહુદીઓની પાછળ પડ્યું અને તેઓને બાબેલોનીઓના હાથમાં સોંપ્યા. (ઓબાદ્યાહ ૧૧-૧૪) અદોમીઓ ઈસ્રાએલનો ખાલી પડેલો દેશ કબજે કરી લેવાની યોજના ઘડતા અને યહોવાહની વિરુદ્ધ બડાઈ હાંકતા હતા.—હઝકીએલ ૩૫:૧૦-૧૫.
-
-
યહોવાહ પોતાનો ક્રોધ દેશો પર રેડે છેયશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
-
-
૧૨. (ક) યહોવાહ અદોમને સજા કરવા માટે કોનો ઉપયોગ કરે છે? (ખ) પ્રબોધક ઓબાદ્યાહ અદોમ વિષે શું ભાખે છે?
૧૨ યહોવાહ અદોમને સજા કરશે, કેમ કે તેણે પૃથ્વી પરના તેમના સંગઠન, સિયોનની સાથે કપટ કર્યું છે. એના વિષે ભવિષ્યવાણી કહે છે: “તે યહોવાહનો વૈર વાળવાનો દિવસ છે, સિયોન સાથેની તકરારનો બદલો લેવાનું વર્ષ છે.” (યશાયાહ ૩૪:૮) યરૂશાલેમનો ૬૦૭ બી.સી.ઈ.માં વિનાશ થયો. એના થોડા સમય બાદ, યહોવાહે પોતાનું વેર અદોમીઓ પર વાળવાનું શરૂ કર્યું. એ માટે તેમણે બાબેલોનના રાજા, નબૂખાદનેસ્સારનો ઉપયોગ કર્યો. (યિર્મેયાહ ૨૫:૧૫-૧૭, ૨૧) બાબેલોનના સૈન્યો અદોમની વિરુદ્ધ થયા પછી, અદોમીઓને કોઈ બચાવી શકે એમ ન હતું! એ પર્વતોવાળા દેશ પર “બદલો લેવાનું વર્ષ” હતું. યહોવાહ પ્રબોધક ઓબાદ્યાહ દ્વારા ભાખે છે: “તારા ભાઈ યાકૂબ ઉપર જુલમ ગુજાર્યાને લીધે તું લજ્જિત થશે, ને તું સદાને માટે નષ્ટ થશે. . . . જેવું તેં બીજાઓને કર્યું છે, તેવું જ તને કરવામાં આવશે; તારી કરણીનું ફળ તારે ભોગવવું પડશે.”—ઓબાદ્યાહ ૧૦, ૧૫; હઝકીએલ ૨૫:૧૨-૧૪.
ખ્રિસ્તીરાષ્ટ્રનું અંધકારમય ભાવિ
૧૩. આજે અદોમ જેવું કોણ છે અને શા માટે?
૧૩ આજે પણ અદોમના જેવું જ વલણ ધરાવતું એક સંગઠન છે. એ કયું સંગઠન છે? યહોવાહના ઉપાસકોનો વિરોધ કરીને, તેઓને સતાવવામાં આજે કોણ આગેવાની લે છે? શું એ ખ્રિસ્તીરાષ્ટ્ર અને એના પાદરીઓ નથી? હા! ખ્રિસ્તીરાષ્ટ્ર પોતાને પર્વતોની જેમ આ જગતમાં ઊંચે સ્થાને મૂકવા ચાહે છે. તે માનવ જગતમાં મોટી મોટી પદવીઓ પર હોવાનો દાવો કરે છે અને તેના ધર્મો મહાન બાબેલોનનો મુખ્ય ભાગ છે. પરંતુ, પોતાના લોકો વિરુદ્ધ તેણે કરેલાં કાર્યો માટે, યહોવાહે આજના અદોમ પાસેથી “બદલો લેવાનું વર્ષ” નક્કી કર્યું છે.
-