વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w15 ૧૧/૧૫ પાન ૧૩
  • વાચકો તરફથી પ્રશ્નો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વાચકો તરફથી પ્રશ્નો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • સરખી માહિતી
  • આપણા આગેવાન ખ્રિસ્ત પર ભરોસો રાખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • ઇઝરાયલ પ્રજા કનાન દેશમાં જાય છે
    બાઇબલનો સંદેશો શું છે?
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
w15 ૧૧/૧૫ પાન ૧૩
યાજકો રણશિંગડું વગાડે છે, યહોશુઆ યુદ્ધનો પોકાર કરે છે અને યરેખોનો કોટ પડવા લાગે છે

વાચકો તરફથી પ્રશ્નો

નિષ્ણાતોને એવું શું જોવા મળ્યું છે, જે સાબિત કરે છે કે યરેખો શહેરને બહુ ઓછા સમયમાં જીતી લેવામાં આવ્યું હતું?

યહોશુઆ ૬:૧૦-૧૫, ૨૦ જણાવે છે કે ઈસ્રાએલી સૈનિકોએ ૬ દિવસ સુધી યરેખો શહેર ફરતે દરરોજ એક વાર કૂચ કરી. સાતમા દિવસે તેઓએ શહેર ફરતે સાત વાર કૂચ કરી. ત્યાર બાદ, યહોવાએ યરેખોનો મજબૂત કોટ તોડી પાડ્યો અને ઈસ્રાએલીઓએ યરેખો શહેર પર જીત મેળવી. બાઇબલ પ્રમાણે યરેખો શહેરને બહુ ઓછા સમયમાં જીતી લેવામાં આવ્યું હતું. પરંતુ, પ્રાચીન અવશેષો પર સંશોધન કરનારા નિષ્ણાતોને, શું એ વાતને ટેકો આપતા પુરાવા મળ્યા છે?

પ્રાચીન સમયમાં શહેર પર હુમલો કરતાં પહેલાં, એના કોટને બધી બાજુએથી ઘેરી લેવામાં આવતો. જો સૈનિકો લાંબા સમય સુધી શહેરને ઘેરી રાખે, તો શહેરની અંદર રહેતા લોકોનું મોટા ભાગનું અનાજ વપરાઈ જતું. ઉપરાંત, જ્યારે સૈનિકો શહેર પર ચઢાઈ કરતા, ત્યારે તેઓ પણ વધેલું અનાજ લૂંટી લેતા. પેલેસ્તાઈનમાં ઘણાં શહેરો એવાં હતાં, જેઓને આ રીતે ઘેરીને જીતવામાં આવ્યાં હતાં. તેથી, એ બધાં શહેરોના અવશેષોમાં સાવ ઓછું અથવા નહિવત્‌ અનાજ મળ્યું હતું. જ્યારે કે યરેખો શહેરના અવશેષોની વાત જુદી છે. બિબ્લિકલ આર્કિઓલોજી રિવ્યુ મૅગેઝિન જણાવે છે: ‘શહેરના અવશેષોમાં માટીનાં વાસણો પછી, બીજું કંઈ સૌથી વધારે મળ્યું હોય તો એ અનાજ હતું. શહેરના વિનાશ પછી આટલું બધું અનાજ મળવું બહુ અજુગતી વાત છે.’

બાઇબલ જણાવે છે કે ઈસ્રાએલીઓએ યરેખો શહેરમાંથી ખાવાની કોઈ પણ વસ્તુઓ લીધી ન હતી. કારણ કે યહોવાએ તેઓને એવી આજ્ઞા આપી હતી. (યહો. ૬:૧૭, ૧૮) ઉપરાંત, બાઇબલ જણાવે છે કે ઈસ્રાએલીઓએ વસંતઋતુમાં કાપણીના સમય પછી તરત યરેખો શહેર પર ચઢાઈ કરી હતી. એટલે યરેખો શહેરમાં એ સમયે ખૂબ અનાજ હતું. (યહો. ૩:૧૫-૧૭; ૫:૧૦) અવશેષોમાં ઘણું અનાજ મળ્યું એ બતાવે છે કે યરેખો શહેરને જીતવામાં વધુ સમય નહિ લાગ્યો હોય. આમ, પુરવાર થાય છે કે બાઇબલમાં જણાવ્યા મુજબ જ યરેખોને જીતવામાં આવ્યું હતું.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો