વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g20 નં. ૧ પાન ૧૪-૧૫
  • શું ચિંતા વગરનું જીવન શક્ય છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું ચિંતા વગરનું જીવન શક્ય છે?
  • સજાગ બનો!—૨૦૨૦
  • સરખી માહિતી
  • વિષય
    સજાગ બનો!—૨૦૨૦
  • સ્ટ્રેસ! ઓછું કરવા તમે શું કરી શકો?
    સજાગ બનો!—૨૦૧૦
  • ઈશ્વરના રાજમાં ‘પુષ્કળ શાંતિ હશે’
    સજાગ બનો!—૨૦૧૯
  • લાભદાયી તણાવ, હાનિકારક તણાવ
    સજાગ બનો!—૧૯૯૮
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૨૦
g20 નં. ૧ પાન ૧૪-૧૫
એક નાનો છોકરો અને તેના પિતા દરિયાના મોજાઓમાં રમી રહ્યા છે અને મા-દીકરી કિનારા પરથી તેઓને જુએ છે અને ખુશ થાય છે.

ચિંતામાંથી રાહત મેળવો

શું ચિંતા વગરનું જીવન શક્ય છે?

બાઇબલમાં રહેલી ઉપયોગી સલાહની મદદથી આપણે ઘણી હદે ટેન્શન ઓછું કરી શકીએ છીએ. પણ આપણે મનુષ્યો છીએ એટલે સંજોગો આપણા હાથમાં હોતા નથી. આપણે બધી જ ચિંતાઓ દૂર કરી શકતા નથી. એવું માત્ર આપણા સરજનહાર યહોવા કરી શકે છે. તેમણે આપણી મદદ કરવા કોઈકને જવાબદારી સોંપી છે. એ છે ઈસુ ખ્રિસ્ત. ઈસુ બહુ જ જલદી બધું સારું કરી નાંખશે. તે આખી દુનિયામાં એવા ફેરફાર લાવશે જેની ઝલક તેમણે ત્યારે આપી હતી જ્યારે તે પૃથ્વી પર હતા. જેમ કે:

અગાઉ પણ કર્યું તેમ, તે બધાને સાજા કરશે.

‘લોકો દુઃખ-દર્દથી પીડાતા સર્વને ઈસુ પાસે લઈ આવ્યા. તેઓમાં અનેક રોગોથી અને પીડાથી હેરાન થયેલા લોકો હતા. તેમણે બધાને સાજા કર્યાં.’—માથ્થી ૪:૨૪.

તે બધાને ઘર અને ખોરાક પૂરાં પાડશે.

“તેઓ ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે. તેઓ બાંધશે ને તેમાં બીજો વસશે, એમ નહિ બને; તેઓ રોપશે ને તે બીજો ખાશે, એવું થશે નહિ.”—યશાયા ૬૫:૨૧, ૨૨.

તે આખા વિશ્વમાં શાંતિ અને સલામતી લાવશે.

‘તેના દિવસોમાં ન્યાયીઓ ખીલશે; અને ચંદ્ર જતો રહેશે, ત્યાં સુધી શાંતિ પુષ્કળ થશે. વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી અને નદીથી તે પૃથ્વીની સીમા સુધી રાજ કરશે. તેના શત્રુઓ ધૂળ ચાટશે.’—ગીતશાસ્ત્ર ૭૨:૭-૯.

તે અન્યાયનો અંત લાવશે.

‘તે નિર્બળ અને ગરીબો ઉપર દયા કરશે, તે પીડિતોના જીવનો બચાવ કરશે. જુલમ અને હિંસામાંથી તે તેઓના જીવને છોડાવશે; તેની દૃષ્ટિમાં તેઓનું લોહી મૂલ્યવાન થશે.’ —ગીતશાસ્ત્ર ૭૨:૧૩, ૧૪.

તે દુઃખો અને મરણનો અંત લાવશે.

“મરણ હશે જ નહિ, શોક કે રૂદન કે દુઃખ હશે નહિ.”—પ્રકટીકરણ ૨૧:૪.

“તણાવથી ભરેલા કપરા સમયો”

ગૅલોપ નામની કંપનીના સંપાદક મોહમેદ એસ. યુનિસનું કહેવું છે, ‘આજની દુનિયા વધારે સ્ટ્રેસ, ચિંતાઓ, દુઃખ અને તકલીફોમાં છે. એટલું પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી.’

આજે ચિંતામાં કેમ વધારો થઈ રહ્યો છે? એનું એકદમ સચોટ કારણ બાઇબલમાં જણાવ્યું છે. ૨ તિમોથી ૩:૧ની કલમ આમ જણાવે છે: ‘છેલ્લા દિવસોમાં સંકટ અને તણાવથી ભરેલા કપરા સમયો આવશે.’ (ધી ઍમ્પ્લિફાઇડ બાઇબલ) એવું કેમ થશે? બાઇબલ જણાવે છે કે એ સમયે લોકો ખરાબ સ્વભાવ અને વલણવાળા હશે. જેમ કે, તેઓ લાલચું, ઘમંડી, ભક્તિનો ડોળ કરનારા, ક્રૂર, કુટુંબ માટેનો પ્રેમભાવ ન રાખનારા અને સંયમ ન રાખનારા હશે. (૨ તિમોથી ૩:૨-૫) જોકે, આ છેલ્લા દિવસો ઝાઝા નહિ ચાલે. ઈશ્વરના રાજ્યના રાજા, એટલે કે ઈસુ જ્યારે શાસન શરૂ કરશે, ત્યારે આજના આ ખરાબ સંજોગોને પૂરી રીતે દૂર કરશે.—દાનીયેલ ૨:૪૪.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો