-
નિર્ગમન ૨૯:૩૮-૪૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૮ “તું વેદી પર દરરોજ એક વર્ષના બે નર ઘેટાનું બલિદાન ચઢાવ.+ ૩૯ એક ઘેટો સવારના સમયે ચઢાવ અને બીજો સાંજના સમયે.*+ ૪૦ પહેલા ઘેટા સાથે તું આ પણ ચઢાવ: એફાહનો દસમો ભાગ* મેંદો, જેમાં પીલેલાં જૈતૂનનું પા હીન* તેલ નાખેલું હોય. તેમ જ, દ્રાક્ષદારૂ-અર્પણ માટે પા હીન દ્રાક્ષદારૂ. ૪૧ તું બીજો ઘેટો સાંજના સમયે ચઢાવ. એની સાથે તું અનાજ* અને દ્રાક્ષદારૂ-અર્પણ ચઢાવ, જેમ તેં સવારે કર્યું હતું. એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે અને એની સુવાસથી તે ખુશ થશે.
-
-
ગણના ૨૮:૪-૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ એમાંનું એક બચ્ચું સવારના સમયે અને બીજું સાંજના સમયે*+ ચઢાવો. ૫ એની સાથે અનાજ-અર્પણ તરીકે તમે એક ઓમેર* મેંદો ચઢાવો, જેમાં પીલેલાં જૈતૂનનું પા હીન* તેલ નાખેલું હોય.+ ૬ એ નિયમિત અગ્નિ-અર્પણ છે,+ જે વિશેનો નિયમ સિનાઈ પર્વત પર આપવામાં આવ્યો હતો. એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી તે ખુશ થાય છે.
-