કુટુંબ માટે વધારે મદદ
શાસ્ત્રમાં ભરોસાપાત્ર માર્ગદર્શન છે, જેમાંથી યુગલો, માતા-પિતાઓ અને યુવાનો મદદ મેળવી શકે છે. એના સિદ્ધાંતો દ્વારા વ્યક્તિ પોતાની વિચારો સુધારી શકે છે અને સારા નિર્ણયો લઈ શકે છે.—નીતિવચનો ૧:૧-૪.
શાસ્ત્રમાં જીવનને લગતી મહત્ત્વની માહિતી છે. એમાં આવા સવાલોના જવાબ આપ્યા છે:
જીવનનો હેતુ શું છે?
શું ઈશ્વર આપણા પર દુઃખો લાવે છે?
મરણ પછી આપણું શું થાય છે?
આ અને બીજા સવાલોના જવાબ બાઇબલમાંથી મેળવવા અમે તમને આમંત્રણ આપીએ છીએ. બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો જોવા આ કોડ સ્કેન કરો અથવા www.pr418.com/gu પર જાઓ.