વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • jy પ્રકરણ ૧૧૮ પાન ૨૭૨-પાન ૨૭૩ ફકરો ૧
  • સૌથી મોટું કોણ એ વિશે તકરાર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સૌથી મોટું કોણ એ વિશે તકરાર
  • ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • સરખી માહિતી
  • પોતાના ગુરુ પાસેથી તે માફી આપવાનું શીખ્યા
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • ગાલીલ સરોવરને કિનારે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • કસોટીઓમાં પણ તે વફાદાર રહ્યા
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • “અભણ અને સામાન્ય માણસો”
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
jy પ્રકરણ ૧૧૮ પાન ૨૭૨-પાન ૨૭૩ ફકરો ૧
સૌથી મોટું કોણ એ વિશે ઈસુના પ્રેરિતો તકરાર કરી રહ્યા છે

પ્રકરણ ૧૧૮

સૌથી મોટું કોણ એ વિશે તકરાર

માથ્થી ૨૬:૩૧-૩૫ માર્ક ૧૪:૨૭-૩૧ લુક ૨૨:૨૪-૩૮ યોહાન ૧૩:૩૧-૩૮

  • મોટા બનવા ચાહનારાઓને ઈસુ સલાહ આપે છે

  • પીતરના નકાર વિશે ભવિષ્યવાણી

  • ઈસુના શિષ્યોની ઓળખ, પ્રેમ

ઈસુએ જીવનની છેલ્લી સાંજ પ્રેરિતો સાથે ગુજારી ત્યારે, તેમણે તેઓના પગ ધોઈને નમ્રતાનો બોધપાઠ શીખવ્યો હતો. એ કેમ જરૂરી હતું? કેમ કે તેઓમાં મોટા બનવાની લાલસા જોવા મળતી હતી. ખરું કે તેઓ ઈશ્વરના સમર્પિત ભક્તો હતા, તોપણ સૌથી મોટું કોણ, એ વાતને લીધે તેઓમાં હજુ પણ ચડસાચડસી જોવા મળતી હતી. (માર્ક ૯:૩૩, ૩૪; ૧૦:૩૫-૩૭) એ સાંજે ફરીથી પ્રેરિતોની એ નબળાઈ દેખાઈ આવી.

પ્રેરિતો ‘વચ્ચે ગરમાગરમ ચર્ચા ઊભી થઈ કે તેઓમાં કોણ સૌથી મોટું ગણાય.’ (લુક ૨૨:૨૪) તેઓમાં ફરીથી તકરાર થતી જોઈને ઈસુ કેટલા દુઃખી થયા હશે! તેમણે શું કર્યું?

પ્રેરિતોનાં એવાં વલણ અને વર્તન માટે ઈસુએ તેઓને ઠપકો આપવાને બદલે ધીરજથી સમજાવતા કહ્યું: “દુનિયાના રાજાઓ પ્રજાઓ પર હુકમ ચલાવે છે અને પ્રજાઓ પર જેઓને અધિકાર છે, તેઓ દાતા કહેવાય છે. તેમ છતાં, તમારે એવા ન થવું. . . . કેમ કે મોટું કોણ, જમવા બેસનાર કે પીરસનાર?” પછી, ઈસુએ યાદ અપાવ્યું કે તેઓ માટે તેમણે હંમેશાં આ દાખલો બેસાડ્યો હતો: “પણ, હું તમારી વચ્ચે પીરસનારના જેવો છું.”—લુક ૨૨:૨૫-૨૭.

પ્રેરિતોમાં ઘણી નબળાઈઓ હતી, તોપણ તેઓ અનેક મુશ્કેલ સંજોગોમાં ઈસુને વળગી રહ્યા હતા. એટલે, તેમણે કહ્યું: “હું તમારી સાથે રાજ્યનો કરાર કરું છું, જેમ મારા પિતાએ મારી સાથે રાજ્યનો કરાર કર્યો છે.” (લુક ૨૨:૨૯) તેઓ ઈસુના વફાદાર શિષ્યો હતા. ઈસુએ તેઓને ખાતરી આપી કે તેમની અને તેઓની વચ્ચે થયેલા આ કરારને લીધે તેઓ રાજ્યમાં હશે. તેમ જ, ઈસુની રાજસત્તાના ભાગીદાર બનશે.

ખરું કે પ્રેરિતો પાસે અદ્‍ભુત ભાવિની આશા હતી, પણ તેઓ હજુ અપૂર્ણ માણસો હતા. ઈસુએ તેઓને કહ્યું: “શેતાને તમને બધાને ઘઉંની જેમ ચાળવાની માંગ કરી છે,” જેથી તેઓ વેરવિખેર થઈ જાય. (લુક ૨૨:૩૧) તેમણે તેઓને ચેતવ્યા પણ ખરા: “આજે રાતે મને જે થશે એના લીધે તમે બધા ઠોકર ખાશો, કેમ કે આમ લખેલું છે: ‘હું ઘેટાંપાળકને મારી નાખીશ અને ટોળામાંનાં ઘેટાં આમતેમ વિખેરાઈ જશે.’”—માથ્થી ૨૬:૩૧; ઝખાર્યા ૧૩:૭.

પરંતુ, પીતરે પૂરા ભરોસાથી કહ્યું: “તમને જે થવાનું છે એને લીધે બીજા બધા ભલે ઠોકર ખાય, પણ હું કદીયે ઠોકર નહિ ખાઉં!” (માથ્થી ૨૬:૩૩) ઈસુએ પીતરને કહ્યું કે, એ રાતે કૂકડો બે વાર બોલે એ પહેલાં, પીતર તેમનો નકાર કરશે. તોપણ, ઈસુએ આગળ જણાવ્યું: “મેં તારા માટે વિનંતી કરી છે કે તારી શ્રદ્ધા ખૂટે નહિ; અને તું, હા, તું પસ્તાવો કરીને એક વાર પાછો ફરે ત્યારે, તારા ભાઈઓને દૃઢ કરજે.” (લુક ૨૨:૩૨) પીતરે પૂરા જુસ્સાથી કહ્યું: “જો મારે તમારી સાથે મરવું પડે, તોયે હું તમને ઓળખવાનો કદી પણ નકાર નહિ કરું.” (માથ્થી ૨૬:૩૫) બીજા પ્રેરિતોએ પણ એવું જ કહ્યું.

ઈસુએ શિષ્યોને કહ્યું: “હું તમારી સાથે થોડી વાર છું. તમે મને શોધશો; અને મેં યહુદીઓને કહ્યું હતું કે, ‘હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી,’ એ જ વાત હવે હું તમને પણ કહું છું.” પછી, તેમણે આ વાત જણાવી: “હું તમને એક નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો; જેવો પ્રેમ મેં તમારા પર રાખ્યો છે, એવો પ્રેમ તમે પણ એકબીજા પર રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.”—યોહાન ૧૩:૩૩-૩૫.

ઈસુ થોડી વાર માટે જ શિષ્યો સાથે છે, એ સાંભળીને પીતરે પૂછ્યું: “પ્રભુ, તમે ક્યાં જાઓ છો?” ઈસુએ જવાબ આપ્યો: “હું જ્યાં જાઉં છું, ત્યાં તું હમણાં મારી પાછળ આવી શકતો નથી, પણ તું પછીથી આવીશ.” મૂંઝાયેલા પીતરે કહ્યું: “પ્રભુ, હું તમારી પાછળ હમણાં કેમ નથી આવી શકતો? હું તમારા માટે મારો જીવ પણ આપી દઈશ.”—યોહાન ૧૩:૩૬, ૩૭.

પછી, ઈસુએ એ સમયનો ઉલ્લેખ કર્યો જ્યારે તેમણે પ્રેરિતોને પૈસાની કે ખોરાકની થેલી વગર ગાલીલમાં પ્રચાર કરવા મોકલ્યા હતા. (માથ્થી ૧૦:૫, ૯, ૧૦) તેમણે પૂછ્યું: “તમને શું કશાની ખોટ પડી હતી?” તેઓએ કહ્યું: “ના!” પણ, હવે આવનાર દિવસોમાં તેઓએ શું કરવાનું હતું? ઈસુએ તેઓને સૂચના આપતા કહ્યું: “જેની પાસે પૈસાની થેલી હોય તે એને લઈ લે, એવી જ રીતે ખોરાકની થેલી લે અને જેની પાસે તલવાર ન હોય, તે પોતાનો ઝભ્ભો વેચીને એ ખરીદે. કેમ કે હું તમને જણાવું છું, જે કંઈ લખવામાં આવ્યું છે એ મારામાં પૂરું થવું જોઈએ, એટલે કે ‘તેને દુષ્ટો સાથે ગણવામાં આવ્યો.’ એ મારા વિશે પૂરું થઈ રહ્યું છે.”—લુક ૨૨:૩૫-૩૭.

ઈસુ એ સમયની વાત કરી રહ્યા હતા, જ્યારે તેમને દુષ્ટો કે ગુનેગારોની બાજુમાં વધસ્તંભે જડવામાં આવશે. એ પછી, તેમના શિષ્યો પર ભારે સતાવણી આવી પડવાની હતી. શિષ્યોને થયું કે તેઓ એ માટે તૈયાર છે, એટલે તેઓએ કહ્યું: “પ્રભુ, જુઓ! આ રહી બે તલવાર.” તેમણે કહ્યું: “એ પૂરતી છે.” (લુક ૨૨:૩૮) થોડા જ સમય પછી, પ્રેરિતોમાંથી એકે એમાંની એક તલવારનો ઉપયોગ કર્યો ત્યારે, ઈસુએ તેઓને મહત્ત્વનો બોધપાઠ શીખવ્યો.

  • પ્રેરિતો શાને લીધે તકરાર કરતા હતા અને એ પરિસ્થિતિને ઈસુએ કઈ રીતે હાથ ધરી?

  • ઈસુએ તેમના વફાદાર શિષ્યો સાથે કરેલા કરારથી શું શક્ય બનવાનું હતું?

  • પીતરે પૂરા ભરોસાથી જે કહ્યું એ સાંભળીને ઈસુએ શું જવાબ આપ્યો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો