વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w05 ૮/૧ પાન ૩-૪
  • શું તમને એવું લાગે છે કે તમે નકામા છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમને એવું લાગે છે કે તમે નકામા છો?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • સરખી માહિતી
  • આનંદ મેળવવા માટે બાઇબલ તમને મદદ કરી શકે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • યહોવા આપણને નિરાશામાંથી બહાર આવવા મદદ કરશે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • તમારાં બાળકને સારી રીતે ઓળખો
    સજાગ બનો!—૨૦૦૭
  • તમે એકલા નથી યહોવા તમારી સાથે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
w05 ૮/૧ પાન ૩-૪

શું તમને એવું લાગે છે કે તમે નકામા છો?

ત્રીસેક વર્ષની લીના બાળપણને યાદ કરતા કહે છે: “હજુ તો હું કળી જ હતી ત્યાં મને મસળી નાખવામાં આવી. વર્ષો સુધી મારું જાતીય શોષણ થતું રહ્યું. મને લાગતું કે હું સાવ નકામી છું. કશાને લાયક નથી. હું એક જીવતી લાશ બની ગઈ હતી. મારામાં સ્વમાન જેવું કંઈ રહ્યું ન હતું.” સીમોન પણ પોતાના બચપણને યાદ કરતા કહે છે, “હું હંમેશા મનમાં ખાલીપો અનુભવતી. મને કદી એવું લાગતું નહિ કે હું સારી છું. કાયમ એવું જ થતું કે હું નકામી છું.” આજે ઘણાને એવું જ લાગે છે. એના લીધે, તેઓનું જીવન ઝેર બની ગયું છે. ઘણા તરૂણો ફોન પર બાળકોને સલાહ આપતી એક સંસ્થાને ફોન કરે છે. એ સંસ્થાના કહેવા મુજબ, એમાંથી આશરે ૫૦ ટકા કહેતા હોય છે કે “મારા જીવનનો કોઈ અર્થ જ નથી, મારી કોઈ કિંમત નથી.”

ઘણા ડૉક્ટરો કહે છે, ‘વ્યક્તિને જ્યારે અહેસાસ કરાવવામાં આવે કે તે કોઈ કામની નથી ત્યારે તેને કાયમ એવું જ લાગે છે કે પોતે નકામી છે.’ જો કોઈને નાની નાની વાતમાં ધમકાવવામાં આવે, હંમેશા ખરાબ ટીકા જ કરવામાં આવે, કે વારંવાર ઉતારી પાડવામાં આવે તો ધીમે ધીમે તે માનવા લાગશે કે પોતે નકામા છે. ગમે એ હોય, કોઈ પણ ખરાબ વ્યવહારથી વ્યક્તિની લાગણીને મોટી ઠેસ પહોંચે છે. તે લાગણીહીન બની જાય છે. એક સર્વેક્ષણમાં ડૉક્ટરોને જોવા મળ્યું કે, પોતાને નિરર્થક ગણનારા પોતા પર કે બીજાનો જરાય ભરોસો કરતા નથી. તેઓ કોઈની સાથે ગાઢ દોસ્તી રાખતા નથી. એ રિપોર્ટે આગળ એમ પણ જણાવ્યું કે ‘તેઓ જે સંજોગોથી ડરે છે, એ જ સંજોગો પોતા પર લાવે છે.’

પોતાને નકામા ગણનારા ઘણી વાર પોતાની ‘પુષ્કળ ચિંતાઓને’ લીધે એમ અનુભવે છે. (ગીતશાસ્ત્ર ૯૪:૧૯) તેઓને કાયમ એવું થતું હોય છે કે પોતે જરાય સારા નથી. કોઈ પણ બાબતમાં કંઈક ખોટું થાય તો તેઓ તરત જ એનો દોષ પોતે ઓઢી લે છે. તેઓએ કંઈ સારું કર્યું હોય એ માટે તેઓના વખાણ કરવામાં આવે ત્યારે, તેઓને કાયમ એવું જ થતું હોય છે કે વહેલા-મોડા તેઓની પોલ ખુલ્લી પડી જશે. તેઓ એવું જ માને છે કે પોતે સુખી થવાને લાયક નથી. આવા વિચારોથી તેઓ લાચાર બની જાય છે જેનાથી તેઓને પોતાને જ નુકશાન થાય છે. આ લેખની શરૂઆતમાં આપણે લીના વિષે વાત કરી હતી. તે પોતાને તુચ્છ ગણતી હતી. તેથી તે બરાબર ખાતી પણ નહિ. તેને પોતા પ્રત્યે જરાય માન ન હતું. તે કહે છે: “મને લાગતું કે હું મારા જીવનમાં કોઈ જ ફેરફાર કરી શકીશ નહિ.”

જેઓ આવું અનુભવે છે તેઓ માટે શું રાહતનો કોઈ રસ્તો છે? શું તેઓએ કાયમ આ રીતે જ રિબાવું પડશે? એવી લાગણીઓ દૂર કરવા તેઓ શું કરી શકે? બાઇબલમાં આપેલી સલાહ આપણને એવી ખોટી લાગણીઓ દૂર કરવા મદદ કરી શકે. ઘણાએ એ સલાહ જીવનમાં લાગુ પાડી છે. એનાથી તેઓને ઘણો લાભ થયો છે. બાઇબલમાં એવી કઈ સલાહ છે? એ લાગુ પાડવાથી દુઃખી લોકોને કયા ફાયદાઓ થયા છે? હવે પછીનો લેખ એ સમજાવશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો