વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp16 નં. ૨ પાન ૧૬
  • પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પવિત્ર શાસ્ત્ર શું કહે છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • મરણ પછી આપણું શું થાય છે?
  • ગુજરી ગયેલી વ્યક્તિ શું ફરી જીવતી થઈ શકે?
  • મરણ પછી વ્યક્તિનું શું થાય છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • મરણ પછી શું થાય છે?
    સાચા ઈશ્વરને ઓળખો
  • સવાલ ૨: મરણ પછી મારું શું થશે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • ગુજરી ગયેલા લોકો ક્યાં છે?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
wp16 નં. ૨ પાન ૧૬
કબર પર એક લાલ ગુલાબ

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

મરણ પછી આપણું શું થાય છે?

અમુક લોકો માને છે કે વ્યક્તિ મરણ પછી કોઈને કોઈ રૂપમાં જીવતી હોય છે. બીજા અમુક માને છે કે મરણ પછી બધું જ ખતમ થઈ જાય છે. તમારું શું માનવું છે?

શાસ્ત્ર શું કહે છે?

‘મરણ પામેલી વ્યક્તિ કંઈ જાણતી નથી.’ (સભાશિક્ષક ૯:૫) મરણ પામીએ ત્યારે, આપણું કોઈ અસ્તિત્વ રહેતું નથી.

શાસ્ત્ર બીજું શું શીખવે છે?

  • પ્રથમ પુરુષ આદમને માટીમાંથી બનાવવામાં આવ્યો હતો અને મરણ પછી તે પાછો માટીમાં મળી ગયો. (ઉત્પત્તિ ૨:૭; ૩:૧૯) એ જ રીતે, આજે કોઈ વ્યક્તિ મરણ પામે ત્યારે, તે માટીમાં મળી જાય છે.—સભાશિક્ષક ૩:૧૯, ૨૦.

  • વ્યક્તિ મરણ પામે છે ત્યારે, તે પોતાનાં પાપમાંથી મુક્ત થાય છે. (રોમનો ૬:૭) વ્યક્તિએ કરેલાં પાપ માટે તેને મરણ પછી કોઈ સજા કે શિક્ષા મળતી નથી.

ગુજરી ગયેલી વ્યક્તિ શું ફરી જીવતી થઈ શકે?

તમે શું કહેશો?

  • હા

  • ના

  • કદાચ

શાસ્ત્ર શું કહે છે?

‘મરણ પામેલા લોકો સજીવન થશે.’ —પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.

શાસ્ત્રમાંથી બીજું શું શીખી શકીએ?

  • શાસ્ત્ર ઘણી વાર મરણને ઊંઘ સાથે સરખાવે છે. (યોહાન ૧૧:૧૧-૧૪) આપણે જે રીતે વ્યક્તિને ઊંઘમાંથી ઉઠાડીએ છીએ, એ જ રીતે ઈશ્વર લોકોને મરણની ઊંઘમાંથી ઉઠાડશે.—અયૂબ ૧૪:૧૩-૧૫.

  • મરણ પામેલા લોકોને સજીવન કરવામાં આવ્યા હોય, એવા ઘણા અહેવાલો પવિત્ર શાસ્ત્રમાં જોવા મળે છે. તેથી, આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે મરણ પામેલા લોકોને સજીવન કરવામાં આવશે.—૧ રાજાઓ ૧૭:૧૭-૨૪; લુક ૭:૧૧-૧૭; યોહાન ૧૧:૩૯-૪૪. (wp16-E No. 1)

વધુ માહિતી માટે યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૬ જુઓ

તમે આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો: www.pr418.com/gu

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો