વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp23 નં. ૧ પાન ૧૦-૧૧
  • ૩ | જેઓએ તમારા જેવું અનુભવ્યું, તેઓ પાસેથી શીખો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૩ | જેઓએ તમારા જેવું અનુભવ્યું, તેઓ પાસેથી શીખો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • એ શાસ્ત્રવચનનો શું અર્થ થાય?
  • આપણે શું કરી શકીએ?
  • ૨ | શાસ્ત્રમાંથી દિલાસો મેળવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૩
  • ૪ | સલાહ પાળો, ફાયદો મેળવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૩
  • ૧ | પ્રાર્થના કરો—“તમારી બધી ચિંતાઓ ઈશ્વર પર નાખી દો”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૩
  • અસલામતી અને ડરની લાગણીનો સામનો કઈ રીતે કરવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૩
wp23 નં. ૧ પાન ૧૦-૧૧
પ્રબોધક મૂસા ખૂબ ચિંતામાં છે. તે આકાશ તરફ જોઈને ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે.

૩ | જેઓએ તમારા જેવું અનુભવ્યું, તેઓ પાસેથી શીખો

પવિત્ર શાસ્ત્રમાં જણાવ્યું છે . . . એવાં ઘણાં વફાદાર સ્ત્રી-પુરુષો થઈ ગયાં જેઓને ‘આપણા જેવી જ’ લાગણીઓ હતી.—યાકૂબ ૫:૧૭.

એ શાસ્ત્રવચનનો શું અર્થ થાય?

બાઇબલમાં એવા ઘણા લોકો વિશે જણાવ્યું છે જેઓએ અલગ અલગ લાગણીઓનો અનુભવ કર્યો હતો. તેઓ વિશે વાંચતી વખતે આપણને કદાચ એવી કોઈ વ્યક્તિ વિશે જાણવા મળે જેણે આપણા જેવું જ અનુભવ્યું હતું.

આપણે શું કરી શકીએ?

આપણે દરેક ચાહીએ છીએ કે બીજાઓ આપણને સમજે, ખાસ કરીને જ્યારે માનસિક બીમારી સામે લડી રહ્યા હોઈએ. પણ જ્યારે બીજાઓ આપણને ન સમજે, ત્યારે એકલું એકલું લાગી શકે. એટલે જ્યારે બાઇબલમાંથી એવા લોકો વિશે વાંચીએ છીએ જેઓના વિચારો અને લાગણીઓ આપણાં જેવાં જ હતાં, ત્યારે આપણને ઘણો દિલાસો મળે છે. એનાથી ખબર પડે છે કે આ લડાઈમાં આપણે એકલા નથી, બીજાઓએ પણ એવાં જ ડર અને ચિંતાઓનો સામનો કર્યો છે.

  • બાઇબલના ઘણા અહેવાલોથી જોવા મળે છે કે અમુકે પોતાને લાચાર ગણ્યા હતા. શું તમને ક્યારેય લાગ્યું છે કે ‘બસ, હવે વધારે નહિ થાય’? મૂસા, એલિયા અને દાઉદને પણ એવું જ લાગ્યું હતું.—ગણના ૧૧:૧૪; ૧ રાજાઓ ૧૯:૪; ગીતશાસ્ત્ર ૫૫:૪.

  • બાઇબલમાં હાન્‍ના નામની સ્ત્રી વિશે જણાવ્યું છે. તેને કોઈ બાળક ન હતું એટલે તે “બહુ દુઃખી” રહેતી હતી. એટલું ઓછું હોય તેમ, એ વાતને લઈને તેના પતિની બીજી પત્ની પનિન્‍ના તેને મહેણાં-ટોણાં માર્યાં કરતી.—૧ શમુએલ ૧:૬, ૧૦.

  • બાઇબલમાં અયૂબ નામના માણસ વિશે જણાવ્યું છે. તેમણે પણ આપણા જેવી જ લાગણીઓનો અનુભવ કર્યો હતો. તેમને યહોવા પર પૂરી શ્રદ્ધા હતી. તોપણ જ્યારે તેમના પર એક પછી એક મુશ્કેલીઓ આવી પડી, ત્યારે તે અંદરથી ભાંગી પડ્યા. એકવાર તે એટલા દુઃખી થઈ ગયા કે તેમણે કહ્યું, “હું મારા જીવનથી કંટાળી ગયો છું; મારે હવે જીવવું જ નથી.”—અયૂબ ૭:૧૬.

એવા સંજોગોમાં પણ તેઓએ નિરાશ કરતા વિચારો અને લાગણીઓ પર કાબૂ મેળવ્યો. જ્યારે તેઓ વિશે બાઇબલમાંથી વાંચીએ છીએ, ત્યારે આપણને પણ એવી લાગણીઓ પર કાબૂ મેળવવા હિંમત મળે છે.

કેવિનને પવિત્ર શાસ્ત્રમાંથી મદદ મળી રહી છે

માનસિક બીમારીની મારા પર અસર

કેવિન તેના બે દોસ્તો સાથે કૉફી પી રહ્યો છે.

“હું લગભગ ૫૦ વર્ષનો થયો ત્યારે એક માનસિક બીમારીનો ભોગ બન્યો. એ બીમારીના લીધે મારો મૂડ અચાનક બદલાઈ જતો. ઘણી વાર મને એવું લાગે કે જીવનની મોટામાં મોટી મુશ્કેલી પણ સહેલાયથી પાર કરી શકીશ. પણ ઘણી વાર એવું લાગે કે જાણે બધું જ ખતમ થઈ ગયું છે, જીવવાનો કોઈ અર્થ જ નથી.”

પવિત્ર શાસ્ત્રમાંથી મદદ

“બાઇબલમાં પિતર નામની વ્યક્તિ વિશે જણાવ્યું છે. તેમના દાખલાથી મને ઘણી હિંમત મળે છે. તેમનાથી ભૂલો થઈ હતી, જેના લીધે તે પોતાને નકામા સમજતા હતા. પણ એ વિશે સતત વિચારવાને બદલે તેમણે પોતાના દોસ્તોની મદદ લીધી. માનસિક બીમારીના લીધે અમુક વાર મારો આખો દિવસ ખરાબ જાય છે. એ સમયે મને મારી ભૂલો બહુ મોટી લાગે છે. હું પોતાને નકામો સમજવા લાગુ છું. પણ પિતરની જેમ હું તરત મારા દોસ્તોની મદદ લઉં છું, જેઓ મને હિંમત ન હારવા ઉત્તેજન આપે છે.

“બાઇબલમાં બીજી એક વ્યક્તિ વિશે પણ જણાવ્યું છે. તેમના વિશે વાંચીને મને ઘણો દિલાસો મળે છે. તે છે રાજા દાઉદ. ઘણી વાર પોતાનાં સંજોગો અને ભૂલોના લીધે તે હતાશ થઈ જતા, દુઃખી થઈ જતા. હું પણ તેમના જેવો જ છું. અમુક વાર હું એવું કંઈક બોલી જાઉં છું કે કરી દઉં છું, જેના લીધે મને આગળ જતા પસ્તાવો થાય છે. દાઉદની એ લાગણીઓ ગીતશાસ્ત્રના ૫૧માં અધ્યાયમાં જોવા મળે છે. એ વાંચવાથી મને ઘણો દિલાસો મળે છે. કલમ ૩માં તે કહે છે, ‘હું મારી ભૂલો સારી રીતે જાણું છું અને મારું પાપ મારી નજર આગળથી ખસતું નથી.’ જ્યારે હું ખૂબ નિરાશ હોઉં છું, ત્યારે હું આવું જ અનુભવું છું. એ સમયે પોતાના વિશે સારું વિચારવું મારા માટે અઘરું બની જાય છે. પણ પછી હું કલમ ૧૦ પર ધ્યાન આપું છું, જ્યાં દાઉદ કહે છે, ‘હે ભગવાન, મને શુદ્ધ હૃદય આપો, મને નવું, અડગ મન આપો.’ હું પણ ઈશ્વરને એ જ આજીજી કરું છું કે તે મારી મદદ કરે જેથી હું પોતાના વિશે સારું વિચારી શકું. પછી કલમ ૧૭ વાંચીને મને બહુ રાહત મળે છે. ત્યાં લખ્યું છે, ‘હે ઈશ્વર, દુઃખી અને કચડાયેલા મનને તમે તરછોડી દેશો નહિ.’ એ વાંચીને મને ખાતરી થાય છે કે ઈશ્વર મને પ્રેમ કરે છે.

“હું બાઇબલમાંથી ઈશ્વરભક્તો વિશે વાંચું છું અને ઈશ્વરે મારા માટે જે કંઈ કર્યું છે એ યાદ રાખું છું. એમ કરવાથી ભાવિ વિશેની મારી આશા એકદમ મજબૂત થાય છે. મને ખાતરી છે કે ઈશ્વર પોતાનાં વચનો ચોક્કસ પૂરાં કરશે. એનાથી મને બીમારી સામે લડવા અને હિંમત ન હારવા મદદ મળે છે.”

વધારે મદદ:

જાન્યુઆરી-માર્ચ ૨૦૧૫, સજાગ બનો!નો આ લેખ વાંચો: “માનસિક બીમારી વિશે શું જાણવું જોઈએ?” એ લેખ jw.org/gu પર પ્રાપ્ય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો