બાઇબલમાં રહેલો ખજાનો | અયૂબ ૧૧–૧૫
અયૂબને સજીવન થવાની આશામાં પૂરો ભરોસો હતો
સજીવન કરવાની ઈશ્વરની ક્ષમતામાં અયૂબને પૂરી શ્રદ્ધા હતી
તેમને સજીવન કરવા ઈશ્વર સક્ષમ છે, એવો ભરોસો બતાવવા અયૂબ એક વૃક્ષનું ઉદાહરણ આપે છે. એ વૃક્ષ કદાચ જૈતુનનું હતું
જૈતુન વૃક્ષનાં મૂળિયાં જમીનમાં ઊંડાં ઊતરેલાં હોવાથી, ભલે એના થડનો નાશ થાય, તોપણ એ ફરીથી ઊગી શકે છે. જ્યાં સુધી એનાં મૂળ જીવતાં હોય, ત્યાં સુધી એ ફરીથી ઊગવા માટે સક્ષમ છે
દુકાળ પછી પડેલા વરસાદમાં જૈતુનનું સુકાઈ ગયેલું થડ ફરીથી ઊગી શકે છે. અને એને ‘નવા છોડની જેમ ડાળીઓ’ પણ ફૂટે છે