મુખ્ય વિષય | આફત આવી પડે ત્યારે શું કરશો?
આફત આવી પડે ત્યારે
દરેકના જીવનમાં ક્યારેક તો દુઃખદ બનાવ બને છે. એમાં પૈસેટકે સુખી લોકોનો પણ સમાવેશ થાય છે.
બાઇબલ કહે છે:
‘ઝડપી દોડનાર જ હંમેશાં શરતમાં જીત મેળવે અથવા બળવાન યોદ્ધા જ લડાઈમાં જીતે એવું નથી. બુદ્ધિમાનને જ હંમેશાં ભોજન મળે, બુદ્ધિશાળીને જ ધનસંપત્તિ મળે અથવા કુશળ માણસો જ ઊંચી પદવી પ્રાપ્ત કરે એવું પણ નથી. પરંતુ, એ બધું સમય અને સંજોગોને આધીન હોય છે.’—સભાશિક્ષક ૯:૧૧, કોમન લેંગ્વેજ.
તેથી, તમારા પર આફત આવશે કે નહિ એ સવાલ નથી. પરંતુ, આફત આવી પડે ત્યારે, એનો સામનો કઈ રીતે કરશો. દાખલા તરીકે:
- કુદરતી આફતમાં માલમિલકત ગુમાવી બેસો ત્યારે શું કરશો? 
- મોટી બીમારી થાય ત્યારે શું કરશો? 
- કુટુંબમાં કોઈ ગુજરી જાય ત્યારે શું કરશો? 
યહોવાના સાક્ષીઓ આ મૅગેઝિનના પ્રકાશકો છે. અમે માનીએ છીએ કે દુઃખદ બનાવ બને ત્યારે, એનો સામનો કરવા બાઇબલમાંથી જરૂરી મદદ મળે છે. તેમ જ, ખરી આશા પણ મળે છે. (રોમનો ૧૫:૪) ચાલો, એ વિશે વધુ જાણવા ત્રણ વ્યક્તિઓના અનુભવો જોઈએ. (g14-E 07)