વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp19 નં. ૨ પાન ૮-૯
  • લગ્‍નસાથી બેવફા બને

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • લગ્‍નસાથી બેવફા બને
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • હિંમત બંધાવતાં ઈશ્વરનાં વચનો
  • મુશ્કેલ સંજોગોમાં દિલાસો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
  • પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
    ચોકીબુરજ: પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
  • કુટુંબની ચિંતા
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • અસલામતી અને ડરની લાગણીનો સામનો કઈ રીતે કરવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
wp19 નં. ૨ પાન ૮-૯
એક સ્ત્રી પ્રાર્થના કરે છે

લગ્‍નસાથી બેવફા બને

‘મારા પતિએ મને જણાવ્યું કે તે મને છોડીને યુવાન સ્ત્રી સાથે રહેવા જાય છે. એ સાંભળીને મારા હોશ ઊડી ગયા. મને થયું, મારે જીવવું જ નથી. આ તો કેવો અન્યાય? મેં તેમના માટે શું નથી કર્યું? ગણવા બેસું તો મેં તેમના માટે ઘણું જતું કર્યું છે.’—મારીયા, સ્પેન.

‘મારી પત્ની અચાનક મને છોડીને જતી રહી. હું સાવ જ ભાંગી પડ્યો. અમારાં બધાં જ સપનાઓ ચકનાચૂર થઈ ગયાં. કેવી કેવી આશાઓ રાખી હતી, યોજનાઓ બનાવી હતી, બધું જ ખતમ થઈ ગયું. વચ્ચે કોઈ કોઈ દિવસો સારા જતા, પછી અચાનક હું હતાશામાં ડૂબી જતો.’—બિલ, સ્પેન.

પતિ-પત્નીમાં કોઈ એક સાથી બેવફા બને ત્યારે, નિર્દોષ સાથી ભાંગી પડે છે. અમુક જણ દિલ મોટું રાખીને બેવફા સાથીને માફ કરે છે અને લગ્‍નજીવન પાટા પર ચઢાવવા મહેનત કરે છે.a લગ્‍નજીવન ટકે છે કે નહિ એ તો અલગ વાત, પણ નિર્દોષ સાથી પછી મનોમન ખૂબ પીડા અનુભવે છે. તેની લાગણીઓ ખૂબ ઘવાય છે. આવી પરિસ્થિતિમાં તે શું કરી શકે?

હિંમત બંધાવતાં ઈશ્વરનાં વચનો

ખરું કે આવા સંજોગોમાં નિર્દોષ સાથીનું હૈયું વીંધાઈ જાય છે. પણ તેઓને શાસ્ત્રમાંથી ઘણી મદદ મળી છે. ઈશ્વર તેઓનાં આંસુ જુએ છે અને પીડા સમજે છે, એ જાણીને તેઓને ઘણી રાહત થાય છે.—માલાખી ૨:૧૩-૧૬.

“હે યહોવા, તેં મને મદદ કરી છે, અને મને દિલાસો આપ્યો છે.”—ગીતશાસ્ત્ર ૮૬:૧૭.

બિલ કહે છે: ‘આ કલમ વાંચતો હતો ત્યારે, મને લાગ્યું કે એક પિતાની જેમ યહોવા પ્રેમથી મારા માથા પર હાથ ફેરવતા હતા. એનાથી મારું દુઃખ હળવું થઈ જતું.’

‘તમે તો વફાદારોની સાથે વફાદાર છો.’—ગીતશાસ્ત્ર ૧૮:૨૫, કોમન લેંગ્વેજ.

કાર્મેનના પતિને મહિનાઓથી બીજી સ્ત્રી સાથે સંબંધ હતો. કાર્મેન જણાવે છે: ‘મારા પતિ મને વફાદાર ન રહ્યા. પણ મને પૂરો ભરોસો છે કે યહોવા ઈશ્વર મારો સાથ કદી નહિ છોડે. તે મને કદી નિરાશ નહિ કરે.’

‘કંઈ ચિંતા ન કરો, પણ બધી બાબતમાં પ્રાર્થના અને વિનંતી સાથે, તમારી અરજો ઈશ્વરને જણાવો; અને ઈશ્વરની શાંતિ, જે બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે, એ ખ્રિસ્ત ઈસુ દ્વારા તમારા હૃદયો અને મનોનું રક્ષણ કરશે.’—ફિલિપીઓ ૪:૬, ૭.

સાશા કહે છે: ‘હું વારંવાર આ કલમ વાંચતી અને યહોવાને પ્રાર્થના કર્યા કરતી. એનાથી મારો બોજ હળવો થતો અને મનની શાંતિ મળતી.’

અહીં ઉલ્લેખ કરેલા બધા લોકો જીવનથી લગભગ હારી ગયા હતા. પણ તેઓએ યહોવા ઈશ્વર પર ભરોસો રાખ્યો. તેમનાં વચનોથી તેઓને હિંમત મળી. બિલ કહે છે: ‘મને તો લાગ્યુંʼતું કે મારા પર આભ તૂટી પડ્યું છે. પણ મારી શ્રદ્ધાએ મને જીવવા હિંમત આપી. ખરું કે એક સમયે હું “મરણની છાયાની ખીણમાં” ચાલતો હતો, પણ ઈશ્વર મારી પડખે હતા.’—ગીતશાસ્ત્ર ૨૩:૪.

a બેવફા સાથીને માફ કરવા કે નહિ, એ વિશે વધારે જાણકારી માટે સજાગ બનો! એપ્રિલ ૨૨, ૧૯૯૯માં (અંગ્રેજી) “જ્યારે લગ્‍નસાથી બેવફા બને” લેખો જુઓ.

બીજાઓને ક્યાંથી મદદ મળી?

દિલાસો આપતાં ઈશ્વરનાં વચનો પર વિચાર કરો.

બિલ કહે છે: ‘મેં અયૂબનું પુસ્તક વાંચ્યું, પછી ગીતશાસ્ત્રનું. મારા સંજોગોને લાગુ પડતા શબ્દો નીચે મેં લીટી દોરી, જેથી એના પર વિચાર કરી શકું. હું જોઈ શક્યો કે બાઇબલના આ લેખકોએ પણ મારા જેવી જ પીડા અનુભવી હતી. તેઓને પણ મારા જેવી જ ચિંતા હતી.’

બીજી પ્રવૃત્તિઓમાં મન પરોવો.

કાર્મેનબેન કહે છે: ‘મને રાતના ઊંઘ ન આવે ત્યારે હું સંગીત સાંભળતી. એનાથી મારું દુઃખ હળવું થતું અને મનની શાંતિ મળતી.’ અમુક લોકો ચિત્રકામ (પેઇન્ટિંગ), ફોટોગ્રાફી કે ભરત-ગૂંથણ જેવી પ્રવૃત્તિઓમાં મન પરોવે છે. એનાથી તેઓની ચિંતાઓ હળવી થાય છે અને મનની શાંતિ મળે છે.

બીજાઓ આગળ તમારું દિલ ઠાલવો.

દાનિયેલ જણાવે છે: ‘કોઈની આગળ દિલ ઠાલવવું મારા સ્વભાવમાં ન હતું. તોય અમુક જિગરી દોસ્તો આગળ હું રોજ મારું દિલ ઠાલવતો. તેઓ સાથે વાત કરીને તેમજ પત્રો લખીને હું મારું દિલ હળવું કરતો. એનાથી મને ખૂબ મદદ મળી.’ સાશા કહે છે: ‘મારા કુટુંબની મદદથી હું બધું સહી શકી. મમ્મી હંમેશાં મદદ કરવા તૈયાર રહેતી. તે મારી વાતો ધ્યાનથી સાંભળતી. પપ્પાએ પણ ખૂબ સંભાળ રાખી. તેમણે મને દુઃખમાંથી બહાર આવવા મદદ કરી. તે મને સમજતા હતા ને ધીરજથી કામ લેતા હતા.’

ઈશ્વરને તમારા દિલની લાગણીઓ જણાવો.

કાર્મેનબેન કહે છે: ‘હું ખૂબ પ્રાર્થના કરતી. એવું મહેસૂસ કરતી કે ઈશ્વર મારી પડખે છે, મારું સાંભળે છે અને મદદ કરે છે. મારા દુઃખમાં હું તેમનો પ્રેમ અનુભવી શકી.’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો