મૅગેઝિન આપતા શું કહેશો?
ચોકીબુરજ એપ્રિલ
આ મૅગેઝિન જેઓ ઈસુને આદર આપે છે એવા લોકોને જ આપવું જોઈએ. “સર્વ ખ્રિસ્તીઓ માને છે કે ઈશ્વરના રાજ્ય વિષે ઈસુએ પોતાના શિષ્યોને શીખવ્યું હતું. શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે એ રાજ્ય આપણા માટે કેવા આશીર્વાદો લાવશે? [જવાબ આપવા દો. પછી પ્રકટીકરણ ૨૧:૩, ૪ વાંચો.] આ લેખમાં ઈશ્વરના રાજ્યને લગતા સવાલોના જવાબ આપવામાં આવ્યા છે.” પાન ૮થી શરૂ થતો લેખ બતાવો.
સજાગ બનો! એપ્રિલ-જૂન
“જ્યારે માબાપ ગુજરી જાય ત્યારે દુઃખનો પાર રહેતો નથી, ખરું ને? [જવાબ આપવા દો.] ઈશ્વરે આપણને એક વચન આપ્યું છે, જે બહુ જ દિલાસો આપે છે. શું હું તમને વાંચી આપી શકું? [જો ઘરમાલિક ચાહે તો પ્રકટીકરણ ૨૧:૪ વાંચો.] આ લેખ સમજાવે છે કે આપણે અને ખાસ કરીને યુવાનો કઈ રીતે કોઈના મોતનો ગમ સહી શકે.” પાન ૧૦ પરનો લેખ બતાવો.
ચોકીબુરજ મે
“લોકો બાઇબલ વિષે અલગ-અલગ વિચારે છે. ઘણા લોકોને લાગે છે કે એ બહુ સારું પુસ્તક છે. પણ શું બાઇબલ ફક્ત સારું પુસ્તક જ છે, તમને શું લાગે છે? [જવાબ આપવા દો. જો ઘરમાલિક એ વિષયમાં રસ બતાવે તો જ વાતચીત ચાલુ રાખો.] જુઓ બાઇબલમાં શું લખેલું છે. [૨ તીમોથી ૩:૧૬, ૧૭ વાંચો.] આ મૅગેઝિન બાઇબલ વિષે વધારે સમજાવે છે. એમાંથી તમને જાણવા મળશે કે બાઇબલ વિષે કેમ વધારે જાણકારી મેળવવી જોઈએ.”