મૅગેઝિન આપતા શું કહેશો?
ચોકીબુરજ માર્ચ
“આજે ઘણા લોકોના લગ્ન તૂટી રહ્યાં છે. એટલે લગ્ન ટકાવી રાખવા ક્યાંથી મદદ મળી શકે? [જવાબ આપવા દો.] શાસ્ત્રમાં લગ્ન વિષે સરસ સિદ્ધાંત છે એ તમને બતાવું? [જો ઘરમાલિકને રસ હોય તો, માત્થી ૧૯:૪-૬ વાંચી આપો.] આ મૅગેઝિન શાસ્ત્રમાંથી લગ્ન વિષે અમુક સિદ્ધાંતોની ચર્ચા કરે છે. એ સિદ્ધાંતો લાગુ પાડવાથી મુશ્કેલીઓ સહેવા અને લગ્નજીવન સુખી બનાવવા મદદ મળે છે.”
સજાગ બનો! જાન્યુઆરી-માર્ચ
“શું તમને લાગે છે કે મોબાઇલ, ઈ-મેઇલ, ચેટ-રૂમ કે પછી એવી કોઈ ટૅક્નોલૉજી દ્વારા મિત્રો સાથે સંપર્કમાં રહેવાથી, નિરાશામાંથી બહાર આવવા મદદ મળે છે? [જવાબ આપવા દો.] કોઈ વાર ઉદાસ થઈ જઈએ તો એમાંથી બહાર આવવાની એક રીત બતાવું? [ઘરમાલિકને રસ હોય તો, પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫ વાંચી આપો.] નિરાશામાંથી બહાર આવવા વિષે આ મૅગેઝિનમાં વધારે સૂચનો આપ્યા છે.”
ચોકીબુરજ એપ્રિલ
“અમે યહોવાહના સાક્ષીઓ છીએ અને બધાના ઘરે ઘરે જઈએ છીએ. કદાચ તમને થશે કે એવું કેમ કરીએ છીએ? [જવાબ આપવા દો.] એનું કારણ હું તમને શાસ્ત્રમાંથી બતાવી શકું? [ઘરમાલિકને રસ હોય તો, માત્થી ૨૪:૧૪ વાંચી આપો.] આ મૅગેઝિન બતાવે છે કે ખુશખબર શું છે? ઈશ્વરનું રાજ્ય શું છે? શાનો અંત આવશે?”
સજાગ બનો! એપ્રિલ-જૂન
“અમુક માને છે કે ધર્મના નામે જુલમ થાય છે. એટલે ધર્મ જ ન હોય તો દુનિયામાં સુખ-શાંતિ હશે. તમારું શું માનવું છે? [જવાબ આપવા દો.] હું તમને બતાવી શકું કે કેવો ગુણ કેળવવાથી ઈશ્વરને માન્ય ભક્તિ કરી શકીએ અને મનુષ્યનું પણ ભલુ થાય? [યોહાન ૧૩:૩૪, ૩૫ વાંચી આપો.] આ મૅગેઝિનમાં એ વિષે વધારે સમજાવ્યું છે.