વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp24 નં. ૧ પાન ૬-૯
  • સાચું માર્ગદર્શન આપતું પુસ્તક

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સાચું માર્ગદર્શન આપતું પુસ્તક
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • માણસોને સલાહની જરૂર છે
  • આ પુસ્તકમાં છે ઈશ્વરનું માર્ગદર્શન
  • કુટુંબ માટે વધારે મદદ
    સજાગ બનો!—૨૦૧૮
  • જીવનમાં સુખી થવા સાચી સલાહ ક્યાંથી મળી શકે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
  • તમે કોની સલાહ માનશો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૪
  • તમને આ મદદ કરશે
    સજાગ બનો!—૨૦૨૦
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૪
wp24 નં. ૧ પાન ૬-૯

સાચું માર્ગદર્શન આપતું પુસ્તક

જીવનમાં નિર્ણયો લેતી વખતે મોટા ભાગે લોકો પોતાને અથવા બીજાઓને સાચું લાગે એ પ્રમાણે નિર્ણય લે છે. પણ એ જરૂરી નથી કે એવી રીતે લીધેલા નિર્ણયો હંમેશાં સાચા જ હશે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એનું કારણ જણાવ્યું છે. એટલું જ નહિ એમાં એવી સલાહ આપી છે, જેનાથી આપણે પારખી શકીએ છીએ કે સાચું શું અને ખોટું શું. એ સલાહ પાળીને આપણે સારું અને ખુશહાલ જીવન જીવી શકીએ છીએ.

માણસોને સલાહની જરૂર છે

બાઇબલમાં યહોવાએa જણાવ્યું છે કે માણસોને એ રીતે નથી બનાવ્યા કે તેઓ હંમેશા સારા નિર્ણયો લઈ શકે. (યર્મિયા ૧૦:૨૩) એટલે તે ચાહે છે કે આપણે માર્ગદર્શન માટે તેમની મદદ લઈએ. તેમણે સૌથી સારી સલાહ આપી છે. તે આપણને પ્રેમ કરે છે. તે નથી ચાહતા કે આપણે ખોટા નિર્ણયો લઈએ અને એના ખરાબ પરિણામો ભોગવીએ. (પુનર્નિયમ ૫:૨૯; ૧ યોહાન ૪:૮) યહોવા સૌથી બુદ્ધિશાળી છે અને તેમણે આપણને બનાવ્યા છે. એટલે તેમને ખબર છે કે આપણા માટે સૌથી સારું શું છે. (ગીતશાસ્ત્ર ૧૦૦:૩; ૧૦૪:૨૪) તોપણ તે તેમની સલાહ પાળવા આપણને ક્યારેય જબરજસ્તી નથી કરતા.

ભગવાન યહોવાએ પહેલાં સ્ત્રી-પુરુષને બનાવ્યા, તેઓનાં નામ આદમ-હવા હતાં. તેઓ ખુશ રહી શકે એ માટે યહોવાએ તેઓને બધું જ આપ્યું હતું. (ઉત્પત્તિ ૧:૨૮, ૨૯; ૨:૮, ૧૫) યહોવાએ તેઓને સહેલી આજ્ઞાઓ આપી અને તે ચાહતા હતા કે તેઓ એ પાળે. તેઓએ એ પાળવી કે નહિ, એ પસંદગી કરવાની છૂટ પણ આપી. (ઉત્પત્તિ ૨:૯, ૧૬, ૧૭) પણ કેટલા દુઃખની વાત કહેવાય કે આદમ-હવાએ ઈશ્વરની વાત માનવાને બદલે પોતાને જે સાચું લાગ્યું એ કર્યું. (ઉત્પત્તિ ૩:૬) ત્યારથી માણસો પોતે જ નક્કી કરતા આવ્યા છે કે તેઓ માટે સાચું શું અને ખોટું શું. પણ એનું શું પરિણામ આવ્યું? ઈતિહાસ સાબિતી આપે છે કે ઈશ્વરની વાત ન માનીને તેઓએ પોતાના જ પગ પર કુહાડી મારી.—સભાશિક્ષક ૮:૯.

બાઇબલમાં એવી સલાહ આપવામાં આવી છે, જેનાથી આપણે સારા નિર્ણય લઈ શકીએ. એ સલાહ હંમેશાં કામ લાગશે, પછી ભલે આપણે કોઈ પણ જગ્યાએ રહેતા હોય કે કોઈ પણ સમાજમાં ઉછેર થયો હોય. (૨ તિમોથી ૩:૧૬, ૧૭; “બધાને મદદ કરે એવું પુસ્તક” બૉક્સ જુઓ.) કઈ રીતે? ચાલો જોઈએ.

બાઇબલને “ઈશ્વરનો સંદેશો” કેમ કહેવામાં આવે છે? (૧ થેસ્સાલોનિકીઓ ૨:૧૩) એ વિશે વધારે જાણવા jw.org પર બાઇબલના લેખક કોણ છે? વીડિયો જુઓ.

બધાને મદદ કરે એવું પુસ્તક

આપણને બનાવનાર ઈશ્વર બુદ્ધિશાળી અને પ્રેમાળ છે, એટલે ખાતરી રાખી શકીએ કે તે દરેક લોકો સુધી તેમનો સંદેશો પહોંચાડશે. ચાલો બાઇબલ વિશે અમુક જાણકારી મેળવીએ:

અલગ અલગ દેશના લોકો બાઇબલ વાંચી રહ્યા છે. બાજુમાં બાઇબલની ઘણી બધી છાપેલી પ્રતો છે અને ફોનમાં પણ બાઇબલ છે.
  • ૩,૫૦૦+ આખું બાઇબલ કે એના અમુક ભાગ આજે ૩,૫૦૦થી વધારે ભાષાઓમાં પ્રાપ્ય છે. દુનિયામાં એવું કોઈ પુસ્તક નથી, જેનું આટલી બધી ભાષાઓમાં ભાષાંતર થયું હોય.

  • ૫,૦૦,૦૦,૦૦,૦૦૦+ બાઇબલની ૫૦૦ કરોડથી વધારે પ્રતો છાપવામાં આવી છે. દુનિયામાં એવું કોઈ પુસ્તક નથી, જેનું આટલી મોટી સંખ્યામાં છાપકામ થયું હોય.

બાઇબલમાં કોઈ એક જાતિ, દેશ કે સંસ્કૃતિના લોકોને બીજાઓ કરતાં ચઢિયાતા બતાવવામાં આવ્યા નથી. ખરેખર, એ પુસ્તક બધા લોકો માટે છે.

jw.org પર ઓનલાઇન બાઇબલ વાંચો. (એ ૨૫૦થી વધારે ભાષાઓમાં પ્રાપ્ય છે.)

એક માણસ બાઇબલ પર આંગળી મૂકીને વાંચી રહ્યો છે.

અમુક લોકો બાઇબલ પર કેમ ભરોસો નથી કરતા?

અમુક લોકો કહે છે, બાઇબલમાં સાચું શું અને ખોટું શું એ વિશે જે લખવામાં આવ્યું છે એ કંઈ કામનું નથી. કદાચ તેઓ આવું કંઈક કહે:

અમુક લોકો કહે: “બાઇબલમાં લખેલી વાતો એકબીજા સાથે મેળ ખાતી નથી.”

હકીકત: એક વાર વાંચવાથી એવું લાગી શકે. પણ એની આગળ-પાછળની કલમો, એ સમયનો ઇતિહાસ, રીતરિવાજ, લેખકે એ કેમ લખ્યું અને બીજી બધી બાબતો પર ધ્યાન આપવાથી આપણે સમજી શકીશું કે બાઇબલમાં એવું કેમ લખ્યું છે.

એવા અમુક ઉદાહરણો જોવાં jw.org/hi પર “ક્યા બાઇબલ મેં લીખી બાતેં આપસ મેં મેલ નહીં ખાતીં?” લેખ જુઓ.

અમુક લોકો કહે: “જે લોકો બાઇબલ વાંચે છે તેઓ પોતે ખરાબ કામો કરે છે. તો પછી બાઇબલ શું કામનું?”

હકીકત: જે લોકો બાઇબલના શિક્ષણ પ્રમાણે નથી ચાલતા, તેઓના ખરાબ કામોને લીધે બાઇબલને દોષ ના આપી શકાય. એમાં પહેલેથી જ જણાવ્યું હતું કે ઘણા લોકો, અરે ઘણા ધર્મગુરુઓ પણ કહેશે કે તેઓ બાઇબલમાં માને છે, પણ તેઓના કામ ખરાબ હશે. બાઇબલમાં એ પણ જણાવ્યું છે કે એવા લોકોના લીધે બાઇબલની “નિંદા” થશે.—૨ પિતર ૨:૧, ૨.

દુનિયાના ઘણા ધર્મગુરુઓનાં કામ બાઇબલના શિક્ષણ પ્રમાણે હોતા નથી. એનું એક ઉદાહરણ જોવા jw.org/hi પર “ક્યા ધર્મ બસ પૈસા કમાને કા તરીકા હૈ?” લેખ જુઓ.

અમુક લોકો કહે: “બાઇબલનું શિક્ષણ પાળતા લોકો એવા લોકોને માન આપતા નથી જેઓના વિચારો અલગ છે.”

હકીકત: બાઇબલમાં જણાવ્યું છે કે આપણે બીજાઓને માન આપવું જોઈએ. એમાં બતાવ્યું છે કે આવું વલણ રાખવું ખોટું છે. જેમ કે,

  • પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા સમજવા.—ફિલિપીઓ ૨:૩.

  • જેઓના વિચારો આપણી સાથે મેળ ન ખાતા હોય તેઓને માન ન આપવું.—૧ પિતર ૨:૧૭.

  • પોતાના વિચારો બીજાઓ પર થોપી બેસાડવા.—માથ્થી ૧૦:૧૪.

બાઇબલમાં જણાવ્યું છે કે ઈશ્વર લોકો સાથે હંમેશાં પ્રેમથી વર્તે છે. તે કોઈની સાથે ભેદભાવ કરતા નથી. તે ચાહે છે કે આપણે પણ તેમના જેવું કરીએ.—રોમનો ૯:૧૪.

એ વિશે વધારે જાણવા jw.org/gu પર “બાઇબલ શું કહે છે?—સહનશીલતા” લેખ જુઓ.

આ પુસ્તકમાં છે ઈશ્વરનું માર્ગદર્શન

બાઇબલમાં જણાવેલા અહેવાલો હકીકતમાં બની ગયા છે. એ અહેવાલોમાંથી ખબર પડે છે કે ઈશ્વર યહોવા માણસો સાથે કઈ રીતે વર્ત્યા હતા. એનાથી આપણે સમજી શકીએ છીએ કે ઈશ્વરની નજરે સાચું શું અને ખોટું શું, શેનાથી ફાયદો થશે અને શેનાથી નુકસાન. (ગીતશાસ્ત્ર ૧૯:૭, ૧૧) બાઇબલમાં આપેલી સલાહ જૂના જમાનામાં પણ કામ લાગતી હતી અને આજે પણ સારા નિર્ણયો લેવા કામ લાગે છે.

એવી જ એક સલાહ પર ધ્યાન આપો. નીતિવચનો ૧૩:૨૦માં લખ્યું છે, “બુદ્ધિમાન સાથે ચાલનાર બુદ્ધિમાન થશે, પણ મૂર્ખનો સાથી બરબાદ થશે.” એ સલાહ જૂના જમાનામાં પણ કામની હતી અને આજે પણ એટલી જ કામની છે. બાઇબલમાં એવી ઘણી સલાહ આપવામાં આવી છે, જે રોજબરોજના જીવનમાં કામ લાગે.—“બાઇબલની સલાહ આજે પણ કામની” બૉક્સ જુઓ.

પણ તમને કદાચ થાય, ‘હું કઈ રીતે માની લઉં કે બાઇબલની સલાહ પાળવાથી આજે મને મદદ મળશે?’ હવે પછીના લેખમાં અમુક લોકોના અનુભવો જોઈશું, જેનાથી ખબર પડશે કે બાઇબલમાં આપેલી સલાહથી કેટલો ફાયદો થાય છે.

a શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.

બાઇબલની સલાહ આજે પણ કામની

બાઇબલ આજથી લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં લખવામાં આવ્યું હતું. પણ એમાં આપેલી સલાહ આજે પણ કામ લાગે છે. માણસો પહેલેથી જ ચાહે છે કે તેઓ હંમેશાં ખુશ રહે અને સારું જીવન જીવે. (સભાશિક્ષક ૧:૯) બાઇબલની સલાહ પાળીને આપણે એવું જીવન જીવી શકીએ છીએ.

પ્રમાણિકતા

  • “અમે બધી રીતે પ્રમાણિક રહેવા ચાહીએ છીએ.” —હિબ્રૂઓ ૧૩:૧૮.

  • ‘જે ચોરી કરે છે, તે હવેથી ચોરી ન કરે. એને બદલે, તે સખત મહેનત કરે.’—એફેસીઓ ૪:૨૮.

સંબંધો

  • “દરેકે પોતાનો જ નહિ, બીજાના ફાયદાનો પણ વિચાર કરવો જોઈએ.”—૧ કોરીંથીઓ ૧૦:૨૪.

  • ‘એકબીજાનું સહન કરો અને એકબીજાને દિલથી માફ કરો.’—કોલોસીઓ ૩:૧૩.

નિર્ણયો લેતી વખતે

  • “ભોળો માણસ દરેક શબ્દ ખરો માની લે છે, પણ ચતુર માણસ દરેક પગલું સમજી-વિચારીને ભરે છે.” —નીતિવચનો ૧૪:૧૫.

  • “શાણો માણસ મુસીબત આવતી જોઈને સંતાઈ જાય છે, પણ ભોળો માણસ આગળ ચાલ્યો જાય છે અને એનાં પરિણામો ભોગવે છે.”—નીતિવચનો ૨૨:૩.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો