-
ગણના ૨૮:૩-૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ “તેઓને કહે, ‘તમે આગમાં ચઢાવવાનું આ અર્પણ યહોવાને રજૂ કરો: અગ્નિ-અર્પણ તરીકે રોજ+ ઘેટાના એક વર્ષના બે નર બચ્ચાં, જે ખોડખાંપણ વગરનાં હોય. ૪ એમાંનું એક બચ્ચું સવારના સમયે અને બીજું સાંજના સમયે*+ ચઢાવો. ૫ એની સાથે અનાજ-અર્પણ તરીકે તમે એક ઓમેર* મેંદો ચઢાવો, જેમાં પીલેલાં જૈતૂનનું પા હીન* તેલ નાખેલું હોય.+ ૬ એ નિયમિત અગ્નિ-અર્પણ છે,+ જે વિશેનો નિયમ સિનાઈ પર્વત પર આપવામાં આવ્યો હતો. એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી તે ખુશ થાય છે. ૭ નર બચ્ચા સાથે તમે એનું દ્રાક્ષદારૂ-અર્પણ પણ ચઢાવો.+ દરેક બચ્ચા માટે પા હીન દ્રાક્ષદારૂ ચઢાવો. યહોવાને દ્રાક્ષદારૂ-અર્પણ તરીકે ચઢાવેલા દારૂને પવિત્ર જગ્યાએ રેડી દો. ૮ ઘેટાનું બીજું નર બચ્ચું તમે સાંજના સમયે ચઢાવો. એની સાથે એનું અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ ચઢાવો, જેમ સવારે ચઢાવો છો. એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ થાય છે.+
-