વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૬ એપ્રિલ પાન ૩
  • પ્રેમાળ શબ્દોથી બીજાઓને ઉત્તેજન આપો અને શ્રદ્ધામાં મજબૂત કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પ્રેમાળ શબ્દોથી બીજાઓને ઉત્તેજન આપો અને શ્રદ્ધામાં મજબૂત કરો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • સરખી માહિતી
  • અયૂબે યહોવાહનું નામ મોટું મનાવ્યું
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • અયૂબના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • ઠપકાને સ્વીકારનાર એક આદર્શ પુરુષ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • બીજાઓ માટે પ્રાર્થના કરવાથી યહોવા ખુશ થાય છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
mwb૧૬ એપ્રિલ પાન ૩

બાઇબલમાં રહેલો ખજાનો | અયૂબ ૧૬-૨૦

પ્રેમાળ શબ્દોથી બીજાઓને ઉત્તેજન આપો અને શ્રદ્ધામાં મજબૂત કરો

સલાહના શબ્દો બીજાઓની શ્રદ્ધા મજબૂત કરનાર હોવા જોઈએ

૧૬:૪, ૫

  • અયૂબ અનહદ દુઃખી હતા અને નિરાશામાં ડૂબી ગયા હતા, તેથી તેમને બીજાઓ તરફથી સહકાર અને ઉત્તેજનની જરૂર હતી

  • અયૂબના ત્રણ મિત્રોએ તેમને એક પણ દિલાસાજનક શબ્દ ન કહ્યો. અરે, તેઓએ અયૂબ પર ખોટા આરોપો મૂક્યા અને તેમની ચિંતામાં વધારો કર્યો

બિલ્દાદના કડવા શબ્દોને લીધે અયૂબ દુઃખી થઈને પોકારી ઊઠ્યા

૧૯:૨, ૨૫

  • દુઃખને લીધે અયૂબ એટલા બેચેન થઈ ગયા કે, ઈશ્વરને પોકારી ઊઠ્યા. અરે, તેમણે મોત માંગ્યું

  • તેમણે સજીવન થવાની આશાને મનમાં રાખી અને દુઃખ સહીને પણ વફાદાર રહ્યા

અલીફાઝ અયૂબ સાથે વાત કરે છે ત્યારે બિલ્દાદ અને સોફાર તેમને જોઈ રહ્યા છે

અયૂબ પર આરોપ મૂકનાર લોકો

અલીફાઝ

અલીફાઝ:

  • કદાચ તે અદોમ દેશના તેમાન વિસ્તારના રહેવાસી હતા. યિર્મેયા ૪૯:૭માં નોંધવામાં આવ્યું છે કે, તેમાન વિસ્તારમાં અદોમના સૌથી બુદ્ધિશાળી લોકો રહેતા હતા

  • ‘દિલાસો આપનારાઓમાં’ અલીફાઝ કદાચ ઉંમરમાં સૌથી મોટા અને પ્રભાવશાળી વ્યક્તિ હતા. અયૂબ સાથે સૌથી પહેલા તેમણે વાત કરી. અયૂબ સાથે તેમણે ત્રણ વાર વાત કરી હતી. વાત કરવામાં તેમણે બીજા બે મિત્રો કરતાં વધારે સમય લીધો

ખોટા આરોપો:

  • અયૂબની વફાદારીની મશ્કરી કરી અને દાવો કર્યો કે, ઈશ્વર પોતાના સેવકો પર ભરોસો નથી કરતા (અયૂ ૪, ૫)

  • અયૂબને અભિમાની અને દુષ્ટ કહ્યા અને દાવો કર્યો કે, અયૂબને ઈશ્વરનો ડર નથી (અયૂ ૧૫)

  • અયૂબને લોભી અને અન્યાયી કહ્યા અને દાવો કર્યો કે, ઈશ્વરની નજરમાં મનુષ્યો નકામા છે (અયૂ ૨૨)

બિલ્દાદ

બિલ્દાદ:

  • તે શૂઆહના વંશજ હતા. તે કદાચ યુફ્રેટિસ નદીની આસપાસ રહેતા હતા

  • અલીફાઝ પછી તેમણે અયૂબ સાથે વાત કરી હતી. તેમની વાતચીત ત્રણ વાર જોવા મળે છે. તેમની વાતચીત બીજા બે કરતાં ટૂંકી હતી પણ વધુ તોડી પાડનાર હતી

ખોટા આરોપો:

  • તે એવું કહેવા માંગતા હતા કે, અયૂબના દીકરાઓએ પાપ કર્યું હોવાથી તેઓ પર આફતો આવી પડી, જે યોગ્ય હતું. તેમ જ, કહ્યું કે અયૂબ પોતે અધર્મી વ્યક્તિ છે (અયૂ ૮)

  • એવું કહેવા માંગતા હતા કે, અયૂબે ખોટાં કામો કર્યા હતા (અયૂ ૧૮)

  • એવો દાવો કર્યો કે, મનુષ્યોનું વફાદાર રહેવું નકામું છે (અયૂ ૨૫)

સોફાર

સોફાર:

  • તે નાઅમાથી હતા અને કદાચ અરબસ્તાનના ઉત્તરપશ્ચિમ વિસ્તારમાંથી આવતા હતા

  • બિલ્દાદ પછી તેમણે અયૂબ સાથે વાત કરી. તેમણે સૌથી કઠોર શબ્દોમાં આરોપો મૂક્યા. તેમની વાતચીત બે વાર જોવા મળે છે

ખોટા આરોપો:

  • અયૂબ વગર વિચાર્યું બોલે છે એવો આરોપ મૂક્યો અને કહ્યું કે, તે પોતાનાં દુષ્ટ કામો છોડી દે (અયૂ ૧૧)

  • એવું કહેવા માંગતા હતા કે, અયૂબ દુષ્ટ છે અને તેમને પાપમાં મજા આવે છે (અયૂ ૨૦)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો