વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp22 નં. ૧ પાન ૧૦-૧૧
  • ૩ | મનમાંથી પણ નફરત કાઢી નાખીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૩ | મનમાંથી પણ નફરત કાઢી નાખીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈશ્વરે શાસ્ત્રમાં જણાવ્યું છે:
  • એનો શું અર્થ થાય?
  • તમે શું કરી શકો?
  • સ્તેફન—“ઈશ્વરની કૃપા અને શક્તિથી ભરપૂર”
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
  • નફરતને કઈ રીતે દૂર કરી શકાય?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
  • નફરત પર મેળવો જીત!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
  • દુનિયામાં આટલી નફરત કેમ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
wp22 નં. ૧ પાન ૧૦-૧૧
એક માણસ કલ્પના કરી રહ્યો છે કે તે એક બીજા દેશના માણસ સાથે હાથ મીલાવી રહ્યો છે. પડછાયામાં બંનેના હાથમાં બોર્ડ છે જેના પર સૂત્રો લખ્યાં છે. તેઓ એકબીજા સાથે ઝઘડી રહ્યા છે.

નફરતને કઈ રીતે દૂર કરી શકાય?

૩ | મનમાંથી પણ નફરત કાઢી નાખીએ

ઈશ્વરે શાસ્ત્રમાં જણાવ્યું છે:

“ઈશ્વરને તમારા વિચારોમાં ફેરફાર કરવા દો, જેથી તમારું મન પૂરેપૂરું બદલાઈ જાય અને તમે ઈશ્વરની સારી, પસંદ પડે એવી અને સંપૂર્ણ [પૂરેપૂરી] ઇચ્છા પારખી શકો.”​—રોમનો ૧૨:૨.

એનો શું અર્થ થાય?

નફરતની શરૂઆત મનમાંથી થાય છે. આપણે કોઈને મનમાં પણ નફરત કરવા લાગીએ, ત્યારે તેમના વિશે ખોટી વાતો કરીએ છીએ અને તેમની સાથે ખરાબ વ્યવહાર કરીએ છીએ. ભગવાન જુએ છે કે આપણે મનમાં શું વિચારીએ છીએ. (યર્મિયા ૧૭:૧૦) એટલે બીજાઓ વિશે ખરાબ વાતો કરવી અને ખરાબ વ્યવહાર કરવો એ તો ખોટું છે જ, પણ તેઓ માટે મનમાં નફરત ભરી રાખવી એ પણ ખોટું છે. જો આપણે મનમાંથી નફરત કાઢી નાખીશું, તો જ કહી શકીશું કે આપણું મન “પૂરેપૂરું બદલાઈ” ગયું છે. અને આપણે નફરતના બંધનમાંથી આઝાદ થઈશું.

તમે શું કરી શકો?

જરા વિચારો કે બીજી જાતિ, રંગ, ભાષા કે દેશના લોકો વિશે તમને કેવું લાગે છે? તેઓ વિશે તમે શું વિચારો છો? જરા આ સવાલોનો વિચાર કરો, ‘મને કેમ અમુક લોકો નથી ગમતા? શું હું તેઓને સારી રીતે ઓળખું છું કે પછી હું બીજાઓની વાતોમાં આવીને તેઓને નફરત કરવા લાગુ છું?’ ટી.વી. કે ઇન્ટરનેટ પર એવા કાર્યક્રમો ન જુઓ જેમાં નફરત અને હિંસા બતાવવામાં આવે છે. એવા મેસેજથી પણ દૂર રહો.

ઈશ્વરનું વચન આપણને દિલમાંથી નફરત દૂર કરવા મદદ કરે છે

કોઈ પણ દેશ કે જાતિ માટે આપણા વિચારો સાચા છે કે ખોટા એ આપણે પોતે નથી પારખી શકતા. પણ બાઇબલ વાંચવાથી આપણે “દિલના વિચારો અને ઇરાદાઓને પારખી” શકીએ છીએ. (હિબ્રૂઓ ૪:૧૨) તમે બાઇબલ વાંચીને જુઓ. તમે પોતે જોઈ શકશો કે બાઇબલમાં જેવું લખ્યું છે એવા તમારા વિચારો છે કે નહિ. જો નફરત આપણાં દિલમાં ઘર કરી ગઈ હોય, તોપણ ઈશ્વરની મદદથી એને “જડમૂળથી ઉખેડી” શકીએ છીએ.—૨ કોરીંથીઓ ૧૦:૪, ૫.

મારો અનુભવ​—સ્ટીવન

પોતાના વિચારો બદલ્યા

સ્ટીવન.

સ્ટીવન અને તેના કુટુંબ પર અમુક ગોરા લોકોએ ઘણો જોરજુલમ કર્યો હતો. એટલે સ્ટીવન એક રાજકીય જૂથમાં જોડાઈ ગયા. એ જૂથ લોકોના અધિકારો માટે લડતું હતું અને તોફાનો કરતું હતું. થોડા સમય પછી સ્ટીવન પણ ગોરા લોકો પર જુલમ કરવા લાગ્યા. સ્ટીવન જણાવે છે, “હું દોસ્તો સાથે આફ્રિકાના લોકો પર બની હોય એવી ફિલ્મો જોવા જતો. એમાં બતાવવામાં આવતું કે ઘણા સમય પહેલાં અમેરિકાના લોકો આફ્રિકાના લોકોને ગુલામ બનાવીને કેવી રીતે હેરાન કરતા હતા. તેઓ પર થતો અન્યાય જોઈને અમારું લોહી ઉકળી ઊઠતું. અમે થિયેટરમાં જ ગોરા છોકરાઓને મારવા લાગતા. પછી અમે ગોરા લોકોના વિસ્તારમાં જતાં, જેથી વધારે લોકો સાથે મારપીટ કરી શકીએ.”

થોડા સમય પછી સ્ટીવન યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવા લાગ્યા. પછી તેમના વિચારો સાવ બદલાઈ ગયા. એ દિવસોને યાદ કરતા સ્ટીવન જણાવે છે, “મેં તો હંમેશાં એ જ જોયું હતું કે કાળા અને ગોરા લોકો એકબીજા સાથે ખરાબ વર્તન કરે છે. એટલે મેં સાક્ષીઓમાં જ્યારે આટલો બધો પ્રેમ જોયો, ત્યારે હું દંગ રહી ગયો. જેમ કે, એક ગોરા માણસને અમુક દિવસ માટે બહાર જવાનું થયું. તેણે પોતાનાં બાળકોની જવાબદારી એક કાળા કુટુંબને સોંપી. એકવાર એક કાળો યુવાન રહેવા માટે જગ્યા શોધતો હતો. ત્યારે એક ગોરા કુટુંબે તેને પોતાના ઘરમાં રાખ્યો.” યહોવાના સાક્ષીઓ વચ્ચે આટલો બધો પ્રેમ જોઈને સ્ટીવનને ખાતરી થઈ ગઈ કે આ જ ઈસુના સાચા શિષ્યો છે. કેમ કે ઈસુએ કહ્યું હતું કે તેમના શિષ્યો વચ્ચે પ્રેમ હશે.—યોહાન ૧૩:૩૫.

સ્ટીવન પણ બીજાઓને નફરત કરવાનું છોડી શક્યા. કેવી રીતે? બાઇબલ શીખવાથી તેમને ખબર પડી કે, તેમણે પોતાના મનમાંથી નફરત કાઢવી જોઈએ. (રોમનો ૧૨:૨) તે કહે છે, “હું સમજી ગયો કે મારે મારા વિચારોમાં ફેરફાર કરવાની જરૂર છે. મારે લડાઈ-ઝઘડા છોડીને બધા સાથે પ્રેમથી રહેવું જોઈએ. એટલું જ નહિ મનમાંથી પણ નફરત કાઢી નાખવી જોઈએ. આ જ સૌથી ઉત્તમ જીવન છે.” આ વાતને લગભગ ૪૦ વર્ષ થઈ ગયા. સ્ટીવને મનમાંથી નફરત કાઢી નાખી છે. હવે તે બધા સાથે પ્રેમથી રહે છે.

સ્ટીવનભાઈ વિશે વધારે જાણવા જુલાઈ ૦૧, ૨૦૧૫, પાન ૧૦-૧૧ ચોકીબુરજમાં (અંગ્રેજી) આપેલો લેખ જુઓ. એ jw.org પર પણ પ્રાપ્ય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો