વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૧૨/૧૫ પાન ૪-૫
  • રાજીખુશીથી આપનારને યહોવા આશીર્વાદ આપે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • રાજીખુશીથી આપનારને યહોવા આશીર્વાદ આપે છે
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • સરખી માહિતી
  • ‘એ કામ મોટું છે’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • યહોવાની ઉદારતા માટે કદર બતાવીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • જરૂરિયાતમાં હોય તેઓને કઈ રીતે મદદ કરશો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • ‘ઉદાર માણસ પર આશીર્વાદ આવશે’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૧૨/૧૫ પાન ૪-૫
એક વ્યક્તિ દાન આપી રહી છે

રાજીખુશીથી આપનારને યહોવા આશીર્વાદ આપે છે

આપણા સરજનહારે આપણને પસંદગી કરવાની છૂટ આપી છે. એ અમૂલ્ય ભેટ આપીને તેમણે મનુષ્યોને માન આપ્યું છે. ઘણા એ ભેટનો ઉપયોગ નિઃસ્વાર્થ રીતે યહોવાની ભક્તિ કરવામાં, તેમના પવિત્ર નામને મહિમા આપવામાં અને તેમના મહાન હેતુને ટેકો આપવામાં કરે છે. એવા લોકોને યહોવા અઢળક આશીર્વાદ આપે છે. યહોવા નથી ઇચ્છતા કે આપણે ફરજ પડવાથી અથવા ડરને લીધે તેમની આજ્ઞાઓ પાળીએ. અરે, તેમને મન તો સાચા પ્રેમને લીધે અને ઊંડી કદરને લીધે થતી ભક્તિ ઘણી કીમતી છે.

ચાલો, ઈસ્રાએલીઓનો દાખલો લઈએ. તેઓ સિનાયના વેરાન વિસ્તારોમાં હતા ત્યારે યહોવાએ તેમને ઉપાસના માટે એક સ્થળ તૈયાર કરવા માર્ગદર્શન આપ્યું. તેમણે મુસા દ્વારા જણાવ્યું: “યહોવાને માટે તમારામાંથી અર્પણ લો; જે કોઈના મનમાં આપવાની ઇચ્છા હોય તે યહોવાને માટે અર્પણ લાવે.” (નિર્ગ. ૩૫:૫) દરેક ઈસ્રાએલી પોતાની ક્ષમતા મુજબ આપી શકતો. તેઓ ચાહે એ દાનમાં આપી શકતા. તેમ જ, ગમે તેટલા પ્રમાણમાં આપી શકતા, જેથી યહોવાનો હેતુ પૂરો કરવામાં એ બધાં દાનનો ઉપયોગ થઈ શકે. યહોવાની આજ્ઞા પ્રત્યે ઈસ્રાએલીઓએ કેવું વલણ બતાવ્યું?

‘જેઓને હોંશ હતી અને જેઓના દિલમાં આપવાની ઇચ્છા હતી તેઓ રાજીખુશીથી યહોવાને માટે અર્પણ લાવ્યા.’ યહોવાના કામને માટે પુરુષો અને સ્ત્રીઓ ખુશીથી આવી ભેટ લાવ્યા: નથનીઓ, કાનના કુંડળો, બંગડીઓ, સોનું, રૂપું, પિત્તળ, ભૂરા ને જાંબુડા ને કિરમજી રંગનાં ઊન, ઝીણા કાંતેલાં શણના કાપડ અને બકરાંના વાળનાં કાપડ, લાલ રંગ કરેલાં ઘેટાનાં ચામડાં, સીલ માછલાંનાં ચામડાં, બાવળનું લાકડું, કીમતી રત્નો, તેલ અને સુગંધીઓ. દાનમાં ‘જે સામાન આવ્યો તે સઘળું કામ કરવાને વાસ્તે બસ હતો, જરૂર કરતાં વધારે હતો.’—નિર્ગ. ૩૫:૨૧-૨૪, ૨૭-૨૯; ૩૬:૭.

એ જોઈને યહોવાને ખૂબ ખુશી થઈ. જોકે, તેમની ખુશીનું કારણ વસ્તુઓ નહિ પણ રાજીખુશીથી આપનાર લોકો હતા. યહોવાની ભક્તિને ટેકો આપવા તે લોકો પોતાનાં સમય અને શક્તિ વાપરવા તૈયાર હતા. બાઇબલ જણાવે છે કે, ‘દરેક કુશળ સ્ત્રીઓએ પોતાને હાથે કાંતવાનું કામ કર્યું. અને જે સ્ત્રીઓના મનમાં પ્રેરણા થઈ, તેઓએ બકરાંના વાળ કાંત્યાં.’ ઉપરાંત, યહોવાએ બસાલએલને ‘બુદ્ધિ, સમજણ, જ્ઞાન અને સર્વ પ્રકારની કળા ને કુશળતા’ આપ્યાં. ઈશ્વરે બસાલએલ અને આહોલીઆબને સોંપેલું કામ પૂરું કરવા કુશળ કારીગર બનાવ્યા.—નિર્ગ. ૩૫:૨૫, ૨૬, ૩૦-૩૫.

યહોવાએ ઈસ્રાએલીઓને દાન આપવાનો લહાવો આપ્યો. યહોવાને પૂરી ખાતરી હતી કે સાચી ભક્તિને ટેકો આપવા તેઓ ‘મનની ઇચ્છા પ્રમાણે’ રાજીખુશીથી આપશે. તેઓની ઉદારતા જોઈને યહોવાએ તેઓને માર્ગદર્શન આપ્યું અને તેઓનો આનંદ વધાર્યો. યહોવાએ બતાવી આપ્યું કે રાજીખુશીથી આપનારને તે આશીર્વાદો આપે છે. તેમ જ, તેમની ઇચ્છા પ્રમાણે કરનારને યહોવા કુશળતા આપે છે અને કશાની ખોટ પડવા દેતા નથી. (ગીત. ૩૪:૯) જો આપણે પણ નિઃસ્વાર્થ રીતે અને રાજીખુશીથી યહોવાની ભક્તિ કરીશું, તો તે આપણને ચોક્કસ આશીર્વાદ આપશે.

જગતવ્યાપી કાર્ય માટે અમુક કઈ રીતે દાન આપે છે

પ્રેરિત પાઊલના સમયમાં થતું તેમ, આજે પણ ઘણા લોકો નિયમિત રીતે તેમની આવકમાંથી ‘કંઈક રાખી મૂકે છે.’ (૧ કોરીં. ૧૬:૨) તેઓ એ પૈસા મંડળમાં “જગતવ્યાપી કાર્ય”ની દાન પેટીમાં નાખે છે. દર મહિને મંડળ એ દાન પોતાના દેશની શાખા કચેરીને મોકલે છે. તમે પણ ઇચ્છા પ્રમાણેનું દાન સીધેસીધું તમારા દેશની યહોવાના સાક્ષીઓની કોઈ પણ કાયદેસરની શાખાને આપી શકો છો.a તમે શાખા કચેરીને આ પ્રકારનાં દાન મોકલી શકો:

બિનશરતી દાન

  • તમે ઇલેક્ટ્રૉનિક બૅન્ક ટ્રાન્સફરથી દાન મોકલાવી શકો છો.b

  • તમે રોકડ રકમ, ઘરેણાં કે બીજી કીમતી વસ્તુઓ પણ દાનમાં આપી શકો. એ વસ્તુનું દાન બિનશરતી છે, એવું પત્રમાં લખીને જણાવો.

શરતી દાનની ગોઠવણ

  • આ ખાસ ગોઠવણમાં દાન આપનારને જરૂર પડે તો, દાનમાં આપેલા પૈસા તે પાછા મેળવી શકે છે.

  • એ દાન શરતી છે, એવું પત્રમાં જણાવો.

દાન આપવાની બીજી રીતોc

પૈસા કે બીજી કીમતી વસ્તુઓ ઉપરાંત આખી દુનિયામાં પ્રચારકાર્ય માટે દાન આપવાની બીજી પણ અમુક રીતો છે. ચાલો એ રીતો વિશે જાણીએ. તમારા દેશની શાખા કચેરીને સંપર્ક કરીને જાણી લો કે, તમે એમાંની કઈ રીતોથી દાન આપી શકો છો. દરેક દેશના કાયદા અને કરવેરા ના નિયમો જુદા હોય છે. તેથી, તમારા વકીલ કે એકાઉન્ટન્ટની સલાહથી દાન આપવાની સૌથી સારી રીત પસંદ કરી શકો છો.

વીમો: જીવન વીમાની પૉલિસી કે પેન્શનના ફૉર્મમાં, વારસદાર તરીકે યહોવાના સાક્ષીઓના ટ્રસ્ટનું નામ આપી શકાય છે.

બૅન્ક ખાતાઓ: બૅન્ક ખાતાં, ફિક્સ્ડ ડિપૉઝિટ, નિવૃત્તિના વ્યક્તિગત ખાતાં જે ટ્રસ્ટના રૂપમાં અથવા મૃત્યુ બાદ પ્રાપ્ય બને એ રીતે, સ્થાનિક બૅન્કના નિયમોને ધ્યાનમાં રાખીને, યહોવાના સાક્ષીઓની કોઈ પણ કાયદેસરની શાખાને આપી શકાય.

શૅર અને બૉન્ડ્‌સ: શૅર અને બૉન્ડ્‌સને પણ બિનશરતી દાન તરીકે આપી શકાય અથવા વ્યક્તિના મરણ પછી યહોવાના સાક્ષીઓના ટ્રસ્ટને મળે એવી ગોઠવણ “ટ્રાન્સફર ઑન ડેથ ઍગ્રીમૅન્ટ” દ્વારા કરી શકાય.

જમીન કે મિલકત: જમીન કે મિલકતનું યહોવાના સાક્ષીઓના ટ્રસ્ટને બિનશરતી દાન કરી શકાય. વ્યક્તિ જ્યાં રહે છે એ જગ્યાનો ઉપયોગ પોતે જીવે ત્યાં સુધી કરી શકે અને પછી એ દાનમાં જાય એવી ગોઠવણ થઈ શકે છે.

ગિફ્ટ ઍન્યુઇટી: આ ગોઠવણમાં વ્યક્તિ પોતાના પૈસા કે મિલકત યહોવાના સાક્ષીઓના ટ્રસ્ટને આપી શકે. પછી દાન આપનારને કે તે પસંદ કરે એ વ્યક્તિને જીવનભર દર વર્ષે અમુક રકમ મળે છે. દાન આપનાર આ ગોઠવણ શરૂ કરે ત્યારે એ વર્ષમાં તેમને આવકવેરો ભરવો પડતો નથી.

વસિયત (વિલ) અને ટ્રસ્ટ: મિલકત કે પૈસાને વસિયત કે ટ્રસ્ટ દ્વારા યહોવાના સાક્ષીઓના ટ્રસ્ટના નામે કરી શકાય. ટ્રસ્ટ દ્વારા દાન આપવાથી, સરકારી ગોઠવણ પ્રમાણે કરવેરામાં અમુક લાભ મળી શકે.

ઉપરની “દાન આપવાની રીતો” બતાવે છે કે દાન આપતા પહેલાં, તમારે અમુક ફૉર્મ ભરીને અગાઉથી તૈયારી કરવી પડે છે. જો તમે દાન આપવાની એ રીતોમાંથી કોઈ પણ રીત પસંદ કરતા હો, તો એની ગોઠવણમાં મદદ કરવા અંગ્રેજી અને સ્પૅનિશ ભાષામાં એક બ્રોશર તૈયાર કરવામાં આવ્યું છે. એનું નામ છે: ચૅરિટેબલ પ્લાનિંગ ટુ બેનિફિટ કિંગ્ડમ સર્વિસ વર્લ્ડવાઇડ.d એ બ્રોશર સમજાવે છે કે તમે કઈ ગોઠવણોથી હમણાં દાન આપી શકો છો. અથવા વ્યક્તિના ગુજરી ગયા પછી વસિયત દ્વારા દાન આપવાની ગોઠવણ કઈ રીતે કરી શકાય. એ બ્રોશરમાં જે માહિતી આપી છે એ તમારા દેશમાં લાગુ ન પડતી હોય તો, તમારા વકીલ કે એકાઉન્ટન્ટ સાથે ચર્ચા કરી શકો છો. એમ કરીને ઘણા લોકો યહોવાના સાક્ષીઓના જગતવ્યાપી પ્રચારકાર્યને ટેકો આપી શક્યા છે. સાથે સાથે ટૅક્સમાંથી પણ પૂરેપૂરો લાભ મેળવી શક્યા છે. જો એ બ્રોશર તમારા દેશમાં મળતું હોય તો તમારા મંડળના સેક્રેટરી પાસેથી એની પ્રત મેળવી શકો.

જો તમને વધુ માહિતી જોઈતી હોય, તો યહોવાના સાક્ષીઓના નીચે આપેલા સરનામે પત્ર લખી શકો કે ફોન કરી શકો. અથવા તમારા વિસ્તાર માટેની યહોવાના સાક્ષીઓની શાખા કચેરીનો સંપર્ક કરો.

Jehovah’s Witnesses of India

Post Box 6440, Yelahanka

Bangalore 560 064

Karnataka, India

Telephone: 09845476425

09845348815

a ભારત માટે “Jehovah’s Witnesses of India”ના નામે મોકલી શકો.

b ભારતનો પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિઓ આ વેબસાઇટનો ઉપયોગ કરી શકે છે: jwindiagift.org

c નિર્ણય લેતા પહેલાં કૃપા કરીને તમારા વિસ્તાર માટેની શાખા કચેરીને પૂછપરછ કરો.

d ભારતમાં આ પુસ્તિકા “કીમતી વસ્તુઓથી યહોવાનું સન્માન કરો” અંગ્રેજી, કન્‍નડા, મલયાલમ, હિંદી, તામિલ અને તેલુગુમાં પ્રાપ્ય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો