ગણના
૨૯ “‘સાતમા મહિનાના પહેલા દિવસે તમે પવિત્ર સંમેલન રાખો. એ દિવસે તમે મહેનતનું કોઈ કામ* ન કરો.+ એ દિવસે તમે રણશિંગડું વગાડો.+ ૨ અગ્નિ-અર્પણ તરીકે તમે યહોવાને એક આખલો, એક નર ઘેટો અને ઘેટાના એક વર્ષનાં સાત નર બચ્ચાં ચઢાવો, જેથી એની સુવાસથી તે ખુશ* થાય. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય. ૩ એની સાથે અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો મેંદો ચઢાવો: આખલા માટે ત્રણ ઓમેર,* નર ઘેટા માટે બે ઓમેર* ૪ અને ઘેટાના દરેક નર બચ્ચા માટે એક ઓમેર.* ૫ તેમ જ, તમે તમારા પ્રાયશ્ચિત્ત માટે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. ૬ માસિક અગ્નિ-અર્પણ અને એનું અનાજ-અર્પણ+ તથા નિયમિત અગ્નિ-અર્પણ અને એનું અનાજ-અર્પણ+ તથા તેઓનાં દ્રાક્ષદારૂ-અર્પણ+ ઉપરાંત એ ચઢાવો. અર્પણ ચઢાવવાની વિધિ પ્રમાણે એ ચઢાવો. એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી તે ખુશ થાય છે.
૭ “‘સાતમા મહિનાના દસમા દિવસે તમે પવિત્ર સંમેલન રાખો+ અને પોતાના પાપ માટે દુઃખ વ્યક્ત કરો.* એ દિવસે તમે કોઈ કામ ન કરો.+ ૮ અગ્નિ-અર્પણ તરીકે તમે યહોવાને એક આખલો, એક નર ઘેટો અને ઘેટાના એક વર્ષનાં સાત નર બચ્ચાં ચઢાવો, જેથી એની સુવાસથી તે ખુશ થાય. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ ૯ એની સાથે અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો મેંદો ચઢાવો: આખલા માટે ત્રણ ઓમેર, નર ઘેટા માટે બે ઓમેર ૧૦ અને ઘેટાના દરેક નર બચ્ચા માટે એક ઓમેર. ૧૧ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. પ્રાયશ્ચિત્ત માટેનું પાપ-અર્પણ+ તથા નિયમિત અગ્નિ-અર્પણ અને એનું અનાજ-અર્પણ તથા તેઓનાં દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.
૧૨ “‘સાતમા મહિનાના ૧૫મા દિવસે પવિત્ર સંમેલન રાખો. એ દિવસે મહેનતનું કોઈ કામ ન કરો અને સાત દિવસ યહોવા માટે તહેવાર ઊજવો.+ ૧૩ અગ્નિ-અર્પણ તરીકે+ તમે ૧૩ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ થાય છે. ૧૪ એની સાથે અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો મેંદો ચઢાવો: દરેક આખલા માટે ત્રણ ઓમેર, દરેક નર ઘેટા માટે બે ઓમેર ૧૫ અને ઘેટાના દરેક નર બચ્ચા માટે એક ઓમેર. ૧૬ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+
૧૭ “‘તહેવારના બીજા દિવસે ૧૨ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ ૧૮ આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો. ૧૯ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા તેઓનાં દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+
૨૦ “‘ત્રીજા દિવસે ૧૧ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ ૨૧ આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો. ૨૨ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+
૨૩ “‘ચોથા દિવસે ૧૦ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ ૨૪ આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો. ૨૫ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+
૨૬ “‘પાંચમા દિવસે ૯ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ ૨૭ આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો. ૨૮ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+
૨૯ “‘છઠ્ઠા દિવસે ૮ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ ૩૦ આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો. ૩૧ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+
૩૨ “‘સાતમા દિવસે ૭ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ ૩૩ આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો. ૩૪ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+
૩૫ “‘આઠમા દિવસે તમે ખાસ સંમેલન* રાખો. એ દિવસે તમે મહેનતનું કોઈ કામ ન કરો.+ ૩૬ અગ્નિ-અર્પણ તરીકે તમે એક આખલો, એક નર ઘેટો અને ઘેટાના એક વર્ષનાં સાત નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ થાય છે. ૩૭ આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો. ૩૮ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+
૩૯ “‘તમે તહેવારો ઊજવો ત્યારે+ એ બધાં અર્પણો યહોવાને ચઢાવો. માનતા-અર્પણો*+ અને સ્વેચ્છા-અર્પણો+ તરીકે તમે જે અગ્નિ-અર્પણો,+ અનાજ-અર્પણો,+ દ્રાક્ષદારૂ-અર્પણો+ અને શાંતિ-અર્પણો+ ચઢાવો છો, એ ઉપરાંત તમે એ અર્પણો ચઢાવો.’” ૪૦ યહોવાએ મૂસાને જે આજ્ઞાઓ આપી હતી, એ બધી મૂસાએ ઇઝરાયેલીઓને જણાવી.